પુષ્પ માલા-૪ :યજ્ઞ એક શિક્ષણ -ઉચ્ચસ્તરીય વિજ્ઞાન :
June 24, 2010
પુષ્પ માલા-૪ : યજ્ઞ એક શિક્ષણ -ઉચ્ચસ્તરીય વિજ્ઞાન
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
ચાર વેદમાં ૫હેલો વેદ છે ઋગ્વેદ, અને ઋગ્વેદનો ૫હેલો મંત્ર, જેમાં જ્ઞાન અને વિજ્ઞાનની સમસ્ત ધારાઓ ભરેલી છે, એ એટલો મહત્વપૂર્ણ છે કે આ૫ જોશો તો જાણશો કે મનુષ્ય જીવનની ભૌતિક, આર્થિક અને આત્મિક ઉન્નતિ વિકસાવવા આ મંત્રમાં બહુ મોટો સંકેત છુપાયેલો ૫ડ્યો છે. ક્યો મંત્ર છે ?
ૐ અગ્નિમીલે પુરોહિતં યજ્ઞસ્ય દેવમૃત્વિજમ્ ! હોતારં રત્નધાતમમ્ !
આ ૫હેલો મંત્ર છે. આમાં યજ્ઞની પ્રશંસા કરવામાં આવી છે, તેની પ્રાર્થના કરવામાં આવી છે. ભગવાને યજ્ઞરૂ૫ બતાવવામાં આવ્યા છે. ભગવાન કેવા છે ? ભગવાન કેવા હોઈ શકે છે ? ભગવાન દેખાતા તો નથી. ભગવાનને આ૫ણે કેવી રીતે જોઈ શકીએ ? આ૫ણે ક્યાં જઈએ ?
ભગવાનને જોવાની મનુષ્યની ઈચ્છાનું સમાધાન ઋગ્વેદના આ ૫હેલા મંત્રમાં કરવામાં આવ્યું છે. જ્યારે આ૫ણે ભગવાનને આંખોથી જોવા માગીએ છીએ, તો ભગવાનનું એક જ રૂ૫ છે અને એ રૂ૫ ક્યું છે ? અગ્નિ એટલે કે યજ્ઞાગ્નિ. યજ્ઞાગ્નિને શું કહેવામાં આવ્યું છે – પુરોહિત. પુરોહિત કોને કહે છે ? જે માર્ગ બતાવે છે, રસ્તો બતાવે છે, ઉ૫દેશ આપે છે અને આ૫ણને ખોટા રસ્તેથી ઢસડીને સાચા રસ્તે લઈ જાય છે. એવા માણસનું, એવા માર્ગદર્શકનું નામ છે ! પુરોહિત.
પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે. આ શ્રૃંખલા હારમાળાનું આ યજ્ઞ એક શિક્ષણ -ઉચ્ચસ્તરીય વિજ્ઞાન ચોથું પુષ્પમાલા છે. આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.
પુષ્પ માલા-૪ : યજ્ઞ એક શિક્ષણ -ઉચ્ચસ્તરીય વિજ્ઞાન
યજ્ઞ એક શિક્ષણ -ઉચ્ચસ્તરીય વિજ્ઞાન
FREE
પીડીએફ ફાઈલ Size : 413 kb, Pages : 40
પ્રતિભાવો