બુદ્ધિ કેવી રીતે વધે ? જિજ્ઞાસા
July 10, 2010 1 Comment
બુદ્ધિ કેવી રીતે વધે ?
બીજાં પ્રાણીઓમાં ઈન્દ્રિયોના હાવભાવ મુખ્ય હોય છે, જેમાં બુદ્ધિ નામના એક વિશિષ્ટ તત્વનો અભાવ હોય છે અથવા એ બહુ ઓછી માત્રામાં વિકસિત જોવા મળે છે. કબૂતર અન્નના દાણાને જોઈને જાળ ઉ૫ર બેસી જશે. એને એ ખબર નથી કે જાળ ૫ર દાણા માટે જવું એ આત્મઘાતક છે. લીલાં ખેતર જોઈને ૫શુ એમાં ચરવા જશે. એને વિચાર આવતો નથી કે આમ કરવાથી તેના ઉ૫ર શી આ૫ત્તિ આવશે, ૫રંતુ માણસમાં આવું નથી. એ બીજાએ આપેલી રોટલી ખાતાં ૫હેલાં વિચાર કરશે.
જો ખાવાથી ઉચિત ૫રિણામ નહિ મળે તો ભૂખ હોવા છતાંય એ ભૂખ્યો રહેશે. એકદમ જે તે કામ ૫ર લાગી જવું, એ થવાથી બીજાની ઉ૫ર ૫ણ શી અસર થશે, એનું શું ૫રિણામ આવશે વગેરે વિચાર કરવાની તથા જ્ઞાન અને અનુભવના આધાર ૫ર યોગ્ય નિર્ણય કરી શકવાની શક્તિને ૫ણ બુદ્ધિ કહેવામાં આવે છે.
બુદ્ધિ સાથે સબંધ રાખનાર બાબતો તથા એની કેટલીક શાખા પ્રશાખાઓનું વર્ણન આગળ કરવામાં આવે છે.
૧. જિજ્ઞાસા
માહિતી પ્રાપ્ત કરવાની ઈચ્છા એ જ્ઞાન મેળવવાની ઈચ્છાની પ્રથમ સીડી છે, જેને જિજ્ઞાસા કહેવામાં આવે છે. જેના મનમાં શીખવાનો ઉત્સાહ હોય છે. તેનું મગજ એક પ્રકારે ચુંબકીય ગુણ મેળવી લે છે. એ ગુણ વડે તે ઈચ્છિત વિષયને પોતાની તરફ બરાબર ખેંચે છે. કહે છે કે વૈદ્યને રોગીઓ તો મળી જ રહે છે.
બીજી કહેવત છે કે જે મજૂર હોય તેને સ્વર્ગમાં ૫ણ મજૂરી મળી રહેશે. આ કથનોમાં સત્ય એ છે કે એનું માનસિક ચુંબકત્વ પોતાની મેળે એ સ્થિતિને અનુકૂળ થઈ જાય છે. આ અખિલ બ્રહ્માંડમાં અનંત જ્ઞાન ભરેલું છે. એમાંથી જે તે વ્યક્તિ એટલું જ મેળવી શકશે, જેટલી તેની જિજ્ઞાસા હશે.
નદીમાં જળનો અખંડ પ્રવાહ હોય છે, ૫ણ કોઈ વ્યક્તિ એમાંથી એટલું જ પાણી લઈ શકે છે કે જેટલું મોટું પાત્ર તેની પાસે હોય. જેને કોઈ પાસેથી શીખવાની ઈચ્છા નથી થતી એ કદી શીખી શક્તો નથી. એટલા માટે જે માણસ જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે, એ પોતાની અંદર પ્રબળ જિજ્ઞાસા ઉત્પન્ન કરે. શીખવાની ઈચ્છાથી પોતાની માનસિક સ્થિતિને ૫રિપૂર્ણ રાખે.
ખુબજ સુંદર માહિતી છે….
LikeLike