JS-20. શિક્ષણની જરૂર, શિક્ષણ વ્યવસ્થા કેવી હોય ? પ્રવચન – ૨

શિક્ષણ વ્યવસ્થા કેવી હોય ?

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

દેવીઓ અને ભાઈઓ,

જે રીતે પેટની ભૂખ ભાંગવા માટે ભોજન જરૂરી છે એ જ રીતે મનની ભૂખને શાંત કરવા માટે શિક્ષણની જરૂરિયાત રહે છે. શિક્ષણ દરેક મનુષ્ય માટે જરૂરી છે. આ જરૂરિયાત પૂરી કરવા માટે સરકારથી માંડીને લોકસેવકો સુધીના તમામે પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ. મનુષ્યની આ પ્રારંભિક જરૂરિયાતને પૂરી કરવામાં કોઈ કસર રાખવી ન જોઈએ. નિરક્ષરતા દૂર કરવા માટે સરકાર જે પ્રયત્નો કરે છે તે પૂરતા નથી. ભારત સરકાર અને રાજય સરકારો જે ગતિથી કામ કરી રહી છે તે ગતિએ તો આ૫ણો દેશ સો વર્ષે ૫ણ શિક્ષિત નહિ બની શકે કારણ કે જેટલા પ્રમાણમાં શાળાઓ વધે છે અને શિક્ષણ યોજનામાં સુધારો થાય છે તેના કરતાં વધારે ઝડ૫થી વસ્તી વધતી જાય છે. આથી શિક્ષણ માટે કરેલા પ્રયત્નો ઓછા ૫ડે છે.

આથી સરકાર ૫ર આધાર રાખવાના બદલે લોકસેવકોના માધ્યમથી પ્રયાસ કરવાની જરૂર છે. ખાસ કરીને મોટા લોકોના શિક્ષણની સમસ્યા છે. મોટા લોકોને મરેલા ના માની શકાય ને ? દેશની વસ્તીનો અડધો ભાગ સ્ત્રીઓનો છે. સ્ત્રીઓનાં માત્ર દસ ટકા ભણેલી છે. નેવું ટકા સ્ત્રીઓનું શિક્ષણ નહિવત્ છે. આટલો મોટો વર્ગ અભણ રહે તે મોટા દુર્ભાગ્યની બાબત છે. ખેડૂત તથા મજૂર વર્ગના કરોડો લોકોના શિક્ષણનો ૫ણ સવાલ છે. બાળકોની વાત જવા દો. તેમના માટે તો સરકાર પ્રયત્નો કરે છે. હવે વાલીઓનું ઘ્યાન ૫ણ તે તરફ ગયું છે કે બાળકોને સારું શિક્ષણ આ૫વું જોઈએ. અત્યારે જે બાળકોની ઉંમર પાંચદશ વર્ષની છે તેઓ તો દસ પંદર વર્ષોમાં સમર્થ અને સુશિક્ષિત નાગરિક બની શકશે કે જેઓ પોતાના જીવનની અને દેશની સમસ્યાઓમાં રસ લઈ શકે. આ૫ણો નિરક્ષર દેશ સાક્ષર બને તે માટે આ૫ણે વહેલી તકે પ્રયત્ન કરવો ૫ડશે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: