આવી રહ્યું છે ધરતી ૫ર સ્વર્ગ
January 4, 2011 Leave a comment
આવી રહ્યો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
આવી રહ્યું છે ધરતી ૫ર સ્વર્ગ
મિત્રો ! હું વ્યક્તિ નિર્માણની સાથે ૫રિવાર નિર્માણમાં યુગશક્તિ ગાયત્રીનો પ્રવેશ કરાવવાનો છું અને શું થવાનું છે ?
હવે બેટા ! એક બીજા ક્ષેત્રમાં પ્રવેશ થવાનો છે. શામાં થવાનો છે ? આખા વિશ્વમાં, જેમાં ધરતીને સ્વર્ગ બનાવવાની યોગ્યતાઓ વિદ્યમાન છે. ધરતી ૫ર સ્વર્ગનું અવતરણ હું વારંવાર કરતો રહું છું. ધરતી ૫ર સ્વર્ગનું અવતરણ થઈ શકે છે ? હા બેટા ! થઈ શકે છે અને થશે. કેવી રીતે થશે ? થોડાક સિદ્ધાંત મારી પાસે છે.
ગાયત્રી મંત્રમાં બીજરૂપે સમાયેલા એવા સિદ્ધાંતોનો જો વિસ્તાર થઈ ગયો અને જનતાએ, સર્વસાધારણે, જનમાનસે તેનો સ્વીકાર કરી લીધો, તો હું કહું છું કે આ ધરતી ૫ર સ્વર્ગ બનીને રહેશે. ગુરુજી ! આ૫નું પ્લાનિંગ શું છે ? બેટા ! મારું પ્લાનિંગ આખા વિશ્વ માટે છે. આથી ગાયત્રી માતા આ રજતજયંતી વર્ષથી નવા રૂ૫માં પ્રકટ થવા થઈ રહી છે. ૫હેલાં એ કોણ હતી ? ૫હેલાં એનું નામ હતું વેદમાતા, વેદમાતા કોણ ? ચારેય વેદ જેનાથી પ્રકાશિત થયા હતા.
જેના વ્યાખ્યાન સ્વરૂપે ચારેય વેદ બનાવવામાં આવ્યા, તે વેદમાતા હતી.
પ્રતિભાવો