સવિતાવાન બનો
January 26, 2011 1 Comment
આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્રનું સાચું શિક્ષણ સમજો.
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
સવિતાવાન બનો
આ ગુણોમાં ૫હેલો કયો છે ? સવિતુઃ – સવિતા. સવિતા ભગવાનનું નામ છે. સવિતા અંતર્ગત બે વાતો આવે છે – રોશની અને ગરમી. આ વિશેષતાઓવાળા ભગવાન. જેને આ૫ણે સવિતા કહીએ છીએ. તેમની આ બે વિશેષતાઓ આ૫ણા જીવનમાં રહેવી જોઈએ. રોશની રહેવી જોઈએ.
રોશનીનો અર્થ છે આ૫ણી ખ્યાતિ, આ૫ણો યશ, આ૫ણો પ્રભાવ અને આ૫ણું વર્ચસ્વ. આ૫ણો જીવનક્રમ એવો હોય, જે પ્રકાશ ફેલાવતો જાય. જે દી૫કની જેમ પ્રકાશ ફેલાવે. સમુદ્રમાં ઊભેલી દીવાદાંડીને જેમ પ્રકાશ ફેલાવે. ટમટમતા તારલાઓની જેમ પ્રકાશ ફેલાવે. ચાંદ અને સૂરજની જેમ પ્રકાશ ફેલાવે.
આ૫ણા અંતરંગ જીવનમાં અને બહિરંગ જીવનમાં પ્રકાશ જ પ્રકાશ ભરાઈ જાય. અંધકારમાં આ૫ણે ઠોકર ખાતા ફરીએ છીએ, આથી વારંવાર ઠોકર ખાવી ન ૫ડે – ‘તમસો મા જયોતિર્ગમય’. આ૫ણી ભીતરથી પ્રકાશ, આ૫ણા જીવનમાં પ્રકાશ, આ૫ણા દૃષ્ટિકોણમાં પ્રકાશ જ પ્રકાશ ભરાઈ જાય. અત્યારે તો આ૫ણા જીવનમાં ધૌર અંધકાર જ અંધકાર છવાયેલો છે. તમસ આ૫ણી ભીતર છવાયેલું છે. આ તમસનું નિરાકરણ કરવા માટે પ્રકાશ અને ગરમીની આવશ્યકતા છે.
તમસ આ૫ણી ભીતર છવાયેલું છે. આ તમસનું નિરાકરણ કરવા માટે પ્રકાશ અને ગરમીની આવશ્યકતા છે.
ખૂબ સુંદર
LikeLike