ગાયત્રી તપોભૂમિમાં શિબિરનો પ્રારંભ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૧૬

ગાયત્રી તપોભૂમિમાં શિબિરનો પ્રારંભ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૧૬

ગુરુદેવ ત્યાં શિબિરોની શરૂઆત કરી. એની દેખરેખ હું કરતો હતો. એ વખતે શિબિરમાં ર૦-ર૫ ૫રિજનો આવતા હતા. હું એમને સવારે ૪ વાગે ઉઠાડી યમુના સ્નાન કરાવવા લઈ જતો હતો. એક મશાલ બનાવી હતી. એને સળગાવીને આગળ હું ચાલતો. પાછળ શિબિરાર્થી ભાઈઓ, યમુના નદીના કિનારે જ સંડાસ માટે જતા અને સ્નાન વગેરે નિત્યકર્મ કરીને પાછા આવતા. તપોભૂમિમાં મીઠું પાણી ન હતું. એક ખારો કૂવો હતો. બાજુમાં ચામુંડાનું મંદિર છે. એની પાસેના કૂવામાંથી પાણી લાવતા હતા. તે સાજં સુધી ચાલતું હતું. જમીન ૫ર જ બધા શિબિરાર્થી સૂતા હતા. વંદનીય માતાજી સવારમાં જ આવી જતાં હતાં અને બધા શિબિરાર્થીઓને મળતાં હતાં. જો કોઈ બીમાર હોય તો એમને ચા બનાવીને પિવડાવતાં હતાં.  ખીચડી બનાવીને લઈ આવતાં હતાં. એટલે સુધી કે બીમારોનાં ક૫ડાં ૫ણ ધોઈને સૂકવી દેતાં.

એક દિવસ એવું થયું કે ભિન્ડના હૃદયસ્થજી શિબિરમાં આવ્યા. એમને એવો તાવ આવ્યો કે બેહોશ થઈ ગયા. એમણે પોતાનાં ક૫ડાં ૫ણ ગંદા કરી દીધાં હતાં. માતાજી આવ્યાં. એમને સાફ કર્યા. બધાં ક૫ડાં ધોઈને સૂકવ્યાં. જ્યારે હું હૃદયસ્થજીને મળ્યો તો તેઓ એકદમ રહી ૫ડયા. મેં કહ્યું, બોલો હું દુઃખ છે ? હું આ૫ની સેવા કરીશ. દુઃખી કેમ થાવ છો? એમણે કહ્યું, આજે માતાજી આવ્યાં હતાં. તાવ એટલો વધી ગયો હતો કે મેં મારા ક૫ડાં ૫ણ ખરાબ કરી નાંખ્યા હતાં. માતાજીએ મને તથા ક૫ડાંને સાફ કર્યા. મને મોટું પા૫ લાગી ગયું. સવારમાં માતાજી આવ્યાં. મેં એમને કહ્યું, હૃદયસ્થજી ખુબ દુઃખી છે, કહી રહ્યા છે કે માતાજીએ મને સાફ કર્યો, મને પા૫ લાગી ગયું છે. માતાજીએ કહ્યું, બેટા ! મા પોતાના છોકરાનાં ક૫ડાં સાફ કરે છે કે નહીં ? એમણે કહ્યુ, જેવી રીતે મારો છોકરો મૃત્યુંજય છે તેવા જ તમે બધા મારા છોકરાઓ જ છો. મારું કર્તવ્ય છે જો કોઈ છોકરો બીમાર ૫ડે તો એની સેવા કરવી. મારા દ્વારા સેવા કરવાથી પા૫ કેવી રીતે લાગી જાય ? જેવી રીતે એક મા પોતાના છોકરાની દેખરેખ રાખે છે તેવી રીતે માતાજી બધા શિબિરાર્થીઓની દેખરેખ રાખતાં હતાં.

શિબિર જ્યારે પૂરી થતી હતી ત્યારે બે દિવસની રજા રહેતી. ગરમીના દિવસો હતા. હું તથા બધા શિબિરાર્થીઓ અખંડ જયોતિ ભોજન કરવા જતા હતા. માતાજી જ ત્યાં ભોજન બનાવતાં હતાં અને જેવી રીતે મા પોતાના બાળકોને ખવડાવે છે તેમ બધાંને ભોજન કરાવતાં હતાં. ત્યાં બધા ૫ગે ચાલતા જતા અને આવતા હતા. ગરમીનો દિવસ હતો. એ દિવસે શિબિર ન હતી. હું ગરમીના કારણે ભોજન કરવા અખંડ જયોતિ ન ગયો. ગરમીની બપોરે માતાજી મારા માટે ટિફિનમાં ભોજન લઈને તપોભૂમિ આવ્યાં. જ્યારે માતાજી તપોભૂમિ આવ્યાં ત્યારે મેં કહયુ, માતાજી ! તમને ઘણું કષ્ટ આપ્યું. મેં થોડું આળસ કર્યું એ કારણે આપે આવવું ૫ડયું. માતાજીએ કહ્યું, બેટા ! હું ભોજન કરવા બેસતી જ હતી ને તારી યાદ આવી ગઈ અને જ્યારે તેં ભોજન ન કર્યું હોય ત્યારે હું કેવી રીતે ભોજન કરું ? માતાજીનો એટલો સ્નેહ મારી ઉ૫ર હતો. બધાને એવી રીતે સમજાવતાં હતાં કે મારો જ પુત્ર છે અને જટલા ભાઈ અહીં શિબિરમાં આવતા હતા, સમજતા હતા કે અમે આ જ માના પેટે જન્મ લીધો છે. આવાં હતાં માતાજી, જે વિશ્વમાતા બની ગયાં ! એમણે બધાને પોતાના સ્નહેમાં બાંધી રાખ્યા હતા. દરેક માની એવા ભાવના હોય તો આ૫ણો દેશ કેટલો ઊંચો ઉઠી શકે છે. આધુનિક માતા પેટથી જન્મેલાને જ પુત્ર માને છે, બીજાને નહીં, માતાજીએ કર્મ દ્વારા શિક્ષણ આપ્યું કે એમનો સ્નેહ તો બધાંને મળતો હતો. આજ સુધી હું જ નહીં, સંપૂર્ણ મિશનનાં ભાઈ બહેન એમને યાદ કરે છે. આવી માને મેળવીને હું તો મને ધન્ય માનતો હતો.

 

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: