JP-84. સામાજિક જીવનનું અઘ્યાત્મ, અઘ્યાત્મ એક રોકડિયો ધર્મ – પ્રવચન-૪

અઘ્યાત્મ એક રોકડિયો ધર્મ  – સામાજિક જીવનનું અઘ્યાત્મ

ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

મિત્રો ! ઈમાનદારી, વફાદારી અને જવાબદારી ત્રણેયના સમન્વયથી સામાજિક જીવનમાં અઘ્યાત્મ થઈ જાય છે. અઘ્યાત્મ કેવું હોય છે ! અધ્યાત્મને જીવનમાં કેવી રીતે એપ્લાય કરી શકાય છે. પોતાના વિકૃત જીવનમાં સંયમરૂપે આ૫ણે એપ્લાય કરીએ છીએ. સમાજમાં આ૫ણે જવાબદારી, વફાદારી અને ઈમાનદારી રૂપે તેને વ્યવહારમાં લાવીએ છીએ. જીવનમાં આ ત્રણેયનો સમાવેશ કરી લઈએ તો અઘ્યાત્મ થઈ જાય છે. ના સાહેબ ! ભજન અને માળાને અઘ્યાત્મ કહે છે. ભજન તો મગજનો એક ખેલ છે. તે આ૫ણા અંતર્મનની એક કસરત છે. કસરત ઘણા પ્રકારની હોય છે. અંતર્ચેતનાના વ્યાયામનું એક નામ મંત્ર ૫ણ છે. જેને આ૫ મંત્ર કહો છો તે ૫ણ અધ્યાત્મનો એક ભાગ છે. ૫રંતુ ફક્ત તે જ સંપૂર્ણ અઘ્યાત્મ ન હોઈ શકે.

ગુરુજી ! આ૫ અધ્યાત્મના અનુદાનની બાબતમાં કહી રહયા હતા ? બેટા, હું કહી રહયો હતો કે જ્યારે ૫ણ સન્માન આવે છે ત્યારે સહયોગ ૫ણ આવે છે, શ્રદ્ધા આવે છે. વિરોધીઓ ૫ણ ઇજ્જત કરે છે. બેટા, અંગ્રેજોએ ક્રાંતિકારીઓને ફ્રાંસીની સજા આપી હતી. તેમને ફાંસી આ૫નાર મેજિસ્ટ્રેટે તેમના માટે જે રિર્માક લખી છે તે આ૫ વાંચો. તેમણે શું રિમાર્ક લખી છે તે આ૫ વાંચો. તેમણે શું રિમાર્કસ લખી છે ? તેમને રિમાર્ક લખી છે કે હું તેમની ઇજ્જત કરું છું કારણ કે તેમણે જે કામ માટે આ ગુના કર્યા તેનો ઉદ્દેશ ખૂબ ઉંચો હતો. તેમને ગુના કર્યા એટલે અમારું બંધારણ, અમારો ફાયદો કહે છે તે પ્રમાણે ફાંસીની સજા કરી, ૫રંતુ ફાંસીની સજા છતાં અમે તેમની ઇજ્જત કરીએ છીએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: