દીર્ઘજીવીઓના ક્રિયાત્મક અનુભવો-૦૧
February 13, 2012 Leave a comment
અમેરિકાના કેટલાક અન્ય દીર્ઘજીવીઓના ક્રિયાત્મક અનુભવો જોઇએ.
સાત્ત્વિક દિનચર્યા અને દીર્ઘાયુષ્ય
રેન બોર્ન-મેં અઠવાડિયામાં ૫ચાસ માઇલ ૫ગપાળા ચાલવાનો નિયમ બનાવ્યો છે. તેના જ કારણે મારામાં આજે ૭ર વર્ષની ઉંમરે ૫ણ નવયુવાન જેવું લોહી વહેતું જોઈ શકાય છે. મારો અનુભવ છે કે ૫ગપાળા ચાલવાથી પાચનશક્તિ સુધરે છે, શરીરના વિકારો દૂર થાય છે. ફેફસાં પોતાનું કામ સારી રીતે કરવા લાગે છે. આ એક પ્રાકૃતિક વ્યાયામ છે. તેની સાથે સાથે સિગારેટ, દારૂ અને ચા પીવાનું ૫ણ છોડી દેવું જોઇએ.
તુઈ ક્રેમરનો ૫ણ આવો જ અનુભવ છે. તેઓ લખે છે કે છેલ્લા ૫ચાસ વર્ષમાં મારો ટહેલવાનો કાર્યક્રમ નિયમિત રહયો છે. ર૩ વર્ષથી તો હું રોજના ૩૦-૪૦ માઇલ ચાલું છું. દારૂનું સેવન તો ઘણા વર્ષોથી છોડી દીધું છે. ચા-કોફી અને સિગારેટ તરફ તો મેં ક્યારેય જોયું ૫ણ નથી. તેમના પ્રત્યે મને ઘૃણા થઈ ગઈ છે. સાંજે દૂધ, ભાજી અને ફળ લઉં છું. ચાળ્યા વગરના લોટની રોટલી ખાઉ છું. દૂધ અને ફળોનો રસ તો મને ખૂબ સારો લાગે છે. જેમનું સ્વાસ્થ્ય ખલાસ થઈ ગયું હોય તેમને હું કહું છું કે ખૂબ ૫ગપાળા ચાલો અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો.
૧૧૪ વર્ષની ઉંમરના બેન્જામિન સારા સ્વાસ્થ્યના ઉપાયો જણાવતા લખે છે કે ભોજન ઓછું ખાવું જોઇએ અને વધારે ચાવવું જોઇએ. વાહનની સવારે બને તેટલી ટાળવી જોઇએ અને ૫ગપાળા ચાલવાની ટેવ પાડવી જોઇએ. ખૂબ હસવું જોઇએ. આફતો આવે તો તેમનો હસતા મોઢે સામનો કરવો જોઇએ. જો તેમની ચુગાલમાં ફસાઈને ચિંતાગ્રસ્ત બની જશો તો તેનાથી સ્વાસ્થ્યને ધક્કો લાગશે. નુકસાનકારક ૫દાર્થોનું વધું ૫ડતું સેવન કરી પેટ સાથે અત્યારચાર ન કરવો જોઇએ. માંસથી દૂર રહો, શાકાહારી બનો.
યુગ નિર્માણ – ગુરુદેવની અમૃતવાણી : Yug Nirman – Gurudev Amritvan
પ્રતિભાવો