નોકર નહિ, માલિક છો.
July 6, 2012 Leave a comment
વંદનમાં હ્રદયના ભાવ ભળે તો જ સાર્થક બને.
-પૂ. શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ
“નોકર નહિ, માલિક છો.”
જ્ઞાનસ્વરૂ૫ કપિલ ભગવાન કર્દમ-દેવહૂતિને આંગણે પુત્રરૂપે ૫ધાર્યા હતા.
આ કર્દમ એટલે ઈન્દ્રિયોનું દમન કરનાર જિતેન્દ્રિય.
આ આત્મા ઈન્દ્રિયોનો નોકર નહિ, માલિક છે.
માલિક જો નોકરોની ઈચ્છા મુજબ જ વર્ત્યા કરે તો ભારે અવ્યવસ્થા થાય… માલિકે તો નોકરોને કાબૂમાં રાખવા જોઈએ.
માટે, કર્દમ બનવું હોય તો, ઈન્દ્રિય-વૃત્તિઓને ખોટા લાડ ન લડાવશો. એ માર્ગે તે વિષયો આપી ન દેશો.
જીવનમાં સંયમ હશે તો જ જ્ઞાન સચવાશે. નહિ તો આંખ અને જીભ માટે વહી જશે.
ઈન્દ્રિયો લાડ માગે તો કહેજો કે હું તમારો નોકર નથી, માલિક છું… નોકર તો એક માત્ર ભગવાનનો જ છું…
જ્ઞાનસ્વરૂ૫ કપિલને આંગણે ૫ધરાવવા હોય તો, કર્દમ બનો, એક એક ઈન્દ્રિયોને કાબૂમાં રાખો… અને સંયમ દ્વારા આંખ, અને મનની શકિત વધારતા જાવ, ને મનથી તમામ વૃત્તિઓને સત્કર્મમાં જોડી રાખો.
પ્રતિભાવો