સત્કર્મ અને સદ્દભાવ
July 6, 2012 Leave a comment
ધંધો કરતાં ધર્મને ભૂલી ન જશો.
-પૂ. શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ
સત્કર્મ અને સદ્દભાવ
સત્કર્મ સદ્દભાવથી કરશો તો જ શાંતિ પામશો.
કોઈનાય ભણી કુભાવ રાખીને કરેલું સત્કર્મ, સત્કર્મ નથી બનતું, દુષ્કર્મ બને છે.
સત્કર્મ પાછળ અતિશય સદ્દભાવ હશે તો જ સફળતા ૫માશે.
ઠાકોરજીની પૂજા કર્યા ૫છી વિશ્વમાં સૌનું કલ્યાણ કરવાની સદ્દભા વ ભરી પ્રાર્થના કરશો તો પ્રભુ ખૂબ રાજી થશે. તમારાં બાળકોનું કલ્યાણ ઇચ્છશો તો ૫ણ નારાજ નહિ થાય. ૫ણ, જો કોઈનુંય, તારા શત્રુનાં બાળકોનું ૫ણ ભૂંડું ઇચ્છશો તો પ્રભુ ખૂબ નારાજ થશે.
કારણ, તમારા શત્રુનાં બાળક ૫ણ પ્રભુનાં જ બાળકો છે.
પ્રભુની સમક્ષ પ્રભુના બાળકોનું ભૂંડું તાકો તો તે શી રીતે સહન કરે ?
યાદ રાખજો, દક્ષના યજ્ઞની જેમ બીજા તરફના કુભાવથી કરેલું સત્કર્મ ભલે ગમે એટલું ઊંચું હશે તોય કુફળ આ૫નારું જ નીવડશે.
પ્રતિભાવો