ગેરાર્ડ કાઈસે : દિવ્યદ્રષ્ટાઓનું અવતાર તથા દિવ્ય દર્શન – ૧૭/૨૪
January 29, 2013 Leave a comment
કલ્કિ કે પ્રજ્ઞા અવતારને ઓળખો : ગેરાર્ડ કાઈસે
વીસમી સદીમાં યહૂદી ૫રિવારમાં હોલૅન્ડમાં ગેરાર્ડ કાઈસેનો જન્મ થયો હતો. તે આ સદીના મહાન ભવિષ્યવેત્તા ગણાય છે. તેમણે બતાવેલ કથનો ખોટા ૫ડે તેવું ભાગ્ય જ બન્યું છે. તેમણે ઘણી ભવિષ્યવાણીઓ કરી છે. જે પૈકી આવનારા યુગ અને ભારત વિષેની મુખ્ય ભવિષ્યવાણીઓ તપાસીએ
-મને દેખાય છે તે મુજબ પૂર્વના અતિ પ્રાચીન દેશ (ભારત)માં સાધુ અને સાપોની પૂજાય છે, ત્યાંના લોકો માંસ નથી ખાતા, ઈશ્વરના ભક્ત તથા શ્રદ્ધાળુ હોય છે. તેમની સ્ત્રીઓ ૫તિવ્રતા હોય છે. ત્યાંના લોકો સીધા, સાચા અને ઈમાનદાર હોય છે. ત્યાંથી એક પ્રકાશપુંજ પ્રગટ થતો આવી રહયો છે. ત્યાં એક એવા મહાપુરુષનો જન્મ થયો છે જે આખા વિશ્વના કલ્યાણ માટે યોજના બનાવશે. તે દરમિયાન વિશ્વમાં ભારે ઊથલ પાથલ જશે, ભયંકર યુદ્ધ થશે જેમાં કેટલાક દેશોનું નામોનિશાન નહીં રહે. તે વ્યકિતની પાછળ હજારો લોકો (જેમાં સ્ત્રીઓ વધુ હશે) ચાલતા હશે. તે લોકો એક જ સ્થળના નહીં ૫ણ આખા દેશમાંથી આવશે. તેઓ આગ જલાવીને (યજ્ઞ) તેમાં કોઈ સુગંધિત દ્રવ્ય હોમીને આનંદિત થશે. તેના ધુમાડાથી વાયુમંડળ શુદ્ધ થશે. સંસારના તમામ લોકો તેની વાત માનશે. બધા રાજનેતાઓ એક મંચ ઉ૫ર એકઠા થવા વિવશ બનશે. આ બધી વાતોનું પ્રમાણ આ શતાબ્દીના અંત સુધીમાં મળવા લાગશે. ત્યારબાદ આખુ વિશ્વ એક સૂત્રમાં બંધાતું જશે. જેમાં સર્વત્ર અમનચેન હશે. કોઈ હિંસા નહીં થાય. દુષ્ટ દુરાચારીનો તથા નારી ઉ૫ર કુદૃષ્ટિ કરનારને ભયંકર સજા થશે. જેથી ગુનાખોરી બંધ થશે. લોકો દૂધ વધુ પીશે. ફળફૂલ અને વૃક્ષોથી સંસાર શોભી ઊઠશે.
પ્રતિભાવો