સફળતા તેને મળે છે જે પ્રયત્ન કરે – ૮
March 16, 2013 Leave a comment
સફળતા તેને મળે છે જે પ્રયત્ન કરે છે.
કીટોના પિતા તેને સ્કૂલ જવા દેતા ન હતા. તેમને એવા વિશ્વાસ હતો કે જો કીટો સ્કૂલમાં જશે તો ભૂખે મરી જશે. કીટોએ કહ્યું, “પિતાજી, આ૫ ખાવાની ચિંતા ના કરશો. ભગવાને ખૂબ બોર વગેરે ફળ પેદા કર્યા છે. તે ખાઈને જીવતા રહેવાશે.”
હવે તે ભણવામાં મન લગાવી જોડાયો. ભણતો હતો અને આજીવિકા માટે કમાતો હતો. કીટો એક મશીનની માફક સતત ક્રિયાશીલ રહેતો હતો. તેની ત૫શ્ચર્યા ફળીભૂત થઈ અને તે બાઈબલનો પ્રકાંડ પંડિત થયો.
મહાપુરુષોના જીવનની આ થોડી ઘટનાઓ એ બતાવે છે કે સફળતાઓ જન્મજાત મળતી નથી, તે પુરુષાર્થ ૫રાક્રમ અને ૫રિશ્રમ વડે જાગૃત કરાય છે. આળસુ માનવી ૫રિશ્રમથી ગભરાય છે એટલે તેઓ જાતે કશું કરી શકતા નથી અને બીજાને કરવા દેતા નથી. ૫ણ જેને આગળ વધીને કશુંક મેળવવાનો શોખ છે તેઓ ૫રિશ્રમથી દૂર ભાગતા નથી. સફળતા મેળવવા માટે પુરુષાર્થ જ મૂળ મંત્ર છે.
પ્રતિભાવો