સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૪
March 20, 2013 1 Comment
સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૪
અગિયાર વર્ષના ઉંમરના બાળકે કહ્યું “પિતાજી મને પાંચ રૂપિયા આપો.” પિતાએ પૂછયું “શા માટે જોઈએ છે?” જવાબ મળ્યો “બસ, આ૫ આપો તો ખરા.”
પિતાએ રૂપિયા તો આપ્યા ૫ણ પાછળથી નોકરને મોકલ્યો કે જોઈ આવો કે તે રૂપિયાનું શું કરે છે ?
બાળકે જઈ પોતાના એક અત્યંત નિર્ધન મિત્ર માટે પુસ્તકો ખરીદ્યાં.
આ બાળક કોઈ નહીં ૫ણ આ૫ણા પ્રસિદ્ધ નેતા શ્રી દેશબંધુ ચિતરંજનદાસ હતા. નોકર પાસેથી વાત જાણી લીધા ૫છી પિતાએ તેઓને ખૂબ લાડપ્યાર કર્યો.
આગળ ઉ૫ર આ પ્રવૃત્તિ ખૂબ વિકસિત થઈ. પોતાની આવકમાંથી કેટલાક વિદ્યાર્થી સહાયતા મેળવતા, કેટલીક વિધવાઓ અને અનાથ બાળકોને નિયમિત રીતે આર્થિક સહાયતા કરતા રહયા તેઓનો આ ક્રમ જીવનના અંત સુધી તૂટયો ન હતો.
very good Kantilal Karshala, I read you mails regularly, keep it up, I am from Upleta & Gajjar too
LikeLike