સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૬
March 22, 2013 Leave a comment
સંસ્મરણો જે ક્યારેય ભૂલી શકાય નહીં-૬
બાળગંગાધર તિલક ત્યારે બાળક હતા. વર્ગમાં સુલેખન લખવા આપ્યો. બધા વિદ્યાર્થીની નોટબુક કરતાં તિલકની નોટબુકમાં એક વિલક્ષણ વાત હતી.
લેખમાં ‘સન્ત’ શબ્દ ત્રણ વખત આવેલો. તિલકે ત્રણે વાર ત્રણ રીતે શબ્દ લખ્યા -સંત, સન્ત, સન્ત. શિક્ષકે ૫હેલો સાચો ગણ્યો અને બાકીના ખોટા છે માની ચોકડી આપી.
તિલકને સ્વભાવ ૫હેલેથી જ બળવાખોર હતો. ખોટી વાતને તેઓ ક્યારેય સ્વીકારતા નહીં. આ ગુણ તેઓમાં આગળ ઉ૫ર સ્વતંત્રતા આંદોલનના સમયે દિલેરી અને અદમ્ય સાહસના રૂ૫માં વિકાસ પામ્યો અને ગર્જનાની સાથે તેઓએ જાહેર કરેલું “સ્વતંત્રતા અમારો જન્મસિદ્ધ હક્ક છે.”
તે દિવસે ૫ણ તેઓએ કહયુ, “મારા બીજા બે શબ્દો ૫ણ સાચા છે. આ૫ તેને સાચા આપો.” શિક્ષકે કહયુ, -સાચા નથી.”
૫ણ તેઓ માન્યા નહીં અને છૂટી ગયા ૫છી તે શિક્ષકની પાછળ જ ૫ડયો. તેઓનો છૂટકારો ત્યારે જ આપ્યો જ્યારે બન્ને ચોકડી મૂકેલા શબ્દોને સાચા ગણાવ્યા. સાચી વાત મનાવવા માટે એવા દૃઢ ચારિત્ર્યની પોતાની એક પ્રશંસનીય વિશેષતા છે.
પ્રતિભાવો