આત્મવિશ્વાસની અજેય શકિત – ૨
March 30, 2013 Leave a comment
આત્મવિશ્વાસની અજેય શકિત – ૨
ડો. રામમનોહર લોહિયા બર્લિન વિશ્વવિદ્યાલયમાં દાખલ થવા માટે ગયા હતા. તે સમયે એક મનોરંજક છતાં પ્રેરણાદાયક બનાવ બન્યો જેનાથી લોહિયાજીના મનમાં દેશભકિતની આસ્થામાં વધારો કર્યો.
લોહિયાએ અર્થશાસ્ત્ર વિષય ૫સંદ કર્યો અને પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી પ્રો. બર્નર જોમ્બાર્ટની પાસે ભણવા માટે ગયા. હવે મુશ્કેલી એ ઉભી થઈ કે લોહિયા જર્મની ભાષા જાણતા ન હતા અને જોમ્બાર્ટ ફકત જર્મન ભાષામાં ભણાવતા હતા. જ્યારે જોમ્બાર્ટએ એમ કહ્યું કે હું અંગ્રેજી ભાષા જાણતો નથી તો લોહિયાએ ત્રણ મહિનાનો સમય માગ્યો અને તેટલો સમયમાં ખરેખર જર્મન ભાષાનું જ્ઞાન તેઓને મેળવી લીધું.
ત્રણ મહિના ૫છી તેઓ પ્રોફેસર પાસે ૫હોંચ્યા અને તેઓએ અસ્ખલિત રીતે જર્મન ભાષામાં વાતચીત શરૂ કરી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ પોતાના શિષ્યને ગળે લગાવ્યો અને કહ્યું, “રામમનોહર, તે ખરેખર બતાવ્યું કે નિષ્ઠા, સંકલ્પ અને આત્મવિશ્વાસની શકિત આગળ કશું અશક્ય નથી.
પ્રતિભાવો