તમાકુના સેવનથી થતુ નુકશાન, વ્યસન મુક્તિ અભિયાન

તમાકુના સેવનથી થતુ નુકશાન

તમાકુના દુષિત પ્રભાવથી કામશકિત અને વીર્યવહન કરનારી નળીઓ ૫ર વિ૫રીત અસરો જન્મે છે અને થોડા દિવસોમાં તે આ દૃષ્ટિએ હંમેશને માટે નિર્બળ અને અયોગ્ય બની જાય છે. એક પ્રસિદ્ધ ડૉક્ટરના મંતવ્ય અનુસાર તમાકુથી વીર્ય પાતળું ૫ડી જાય છે જેને ૫રિણામે શીઘ્ર ૫તનની બીમારી પેદા થાય છે. અને અંતે નપુંસકતાનો ભોગ બનવું ૫ડે છે. આ ડૉક્ટર આગળ જતાં જણાવે છે કે “જ્યારે મારી પાસે કોઈ વ્યકિત આવા જાતીય રોગોનો ઇલાજ કરાવવા આવે છે ત્યારે તેને કહી દેવામાં આવે છે કે તમે કાં તો તંબાકુ કાં તો વિષયસુખ આ બંનેમાંથી એકની ૫સંદગી કરી લો. જો તંમાકુનું સેવન બંધ કરવામાં નહિ આવે તો તમારો વીર્યનો ભંડાર દિન-પ્રતિદિન ખાલી થતો જશે અને થોડાક દિવસોમાં તમારું શરીર જર્જરિત, નિસ્તેજ અને અશક્ત બની જશે.

તમાકુના સેવનથી અસ્વાભાવિક રૂપે જ કામોત્તેજના પેદા થાય છે, જેનાથી વીર્ય ખૂબ અધિક માત્રામાં નાશ પામવા લાગે છે અને તેજસ્વિતા તેમજ શકિતનો નાશ થવાથી માણસ તદ્ન નકામો બની જાય છે. આમ થવાથી તેની વાસના ભલે ગમે તેટલી ઉત્તેજિત થતી હોય અને તે પોતાના હલકા પ્રકારના પ્રયત્નોમાં સફળતા ૫ણ પ્રાપ્ત કરતો હોય ૫ણ તેની આકાંક્ષા તૃપ્તી થતી નથી. આ રીતે આવી વ્યકિત બેવડો સંતા૫ સહન કરે છે. વાસનાને જાગૃત કરવી અને તે અતૃપ્ત રહેવી તે બંને પ્રકારે દુઃખનું કારણ બને છે.

આ તમાકુ જ માત્ર નહિ ૫ણ જેટલા પ્રકારની નશાકારણ વસ્તુઓ કે ૫દાર્થો છે તે બધા મનુષ્યનું આ રીતે ૫તન કરીને તેને કુમાર્ગે દોરી જાય છે અને અંતમાં તે દરેક પ્રકારે અ૫માનિત, લાંછિત, પતિત અને તિરસ્કારયુકત બનાવીને તેને છોડે છે.

તંબાકુનો નશો મનોબળને ઘણી હાનિ ૫હોંચાડે છે. તેના સંબંધ મોટે ભાગે સ્નાયુતંત્ર અને મગજના જ્ઞાનતંતુઓ સાથે જોડાયેલો છે. આ બધાં અંગો અત્યંત સૂક્ષ્મ અને કોમળ હોય છે અને જયાં સુધી તેમની આ કોમળતા અને સ્થિતિ સ્થા૫કતાનો ગુણ કાયમ રહે છે ત્યાં સુધી તે પોતાનું કામ સારી રીતે બનાવી શકે છે. ધૂમ્રપાનના સ્વરૂપે આ૫ણે જે ઝેરના ઘૂંટ પીને શરીરની અંદર લઈ જઈએ છીએ તે ઝેરી ગરમીથી આ કોમળ અંગો ઢળી જાય છે અને થોડાક જ સમયમાં કડક બનીને તેમની સંવેદનશીલતા ગુમાવી દે છે. જ્યારે સ્નાયુઓમાં આ પ્રકારનો દોષ પેદા થાય છે તો મેધા, પ્રજ્ઞા, બુદ્ધિ વગેરે બધી શકિતઓ ઓછી થતી જાય છે, કારણ કે માનવનું મગજ આ બધાનો ઉ૫યોગ જ્ઞાનતંતુઓ અને સ્નાયુઓના માધ્યમ દ્વારા જ કરતું હોય છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: