ધૂમ્રપાનથી થનારા નુકસાન, વ્યસન મુક્તિ અભિયાન

ધૂમ્રપાનથી થનારા નુકસાન

અમેરિકા જેવા દેશના લોકો ધૂમ્રપાનથી થનારા નુકસાનના સૌથી વધુ શિકાર બને છે. ત્યાંના આદિવાસીઓના કબીલાના એક સરદારે પોતાના સાથીદારોને તંબાકુ પીવાથી થનાર નુકસાનને વ્યંગ્યથી આ પ્રમાણે સમજાવ્યું છે.

(૧) તંબાકુ પીનાર લોકોને એટલી ખાંસી થાય છે કે તે રાતભર જાગતા જ રહે છે. આનાથી તેમના ઘરમાં ચોર ઘૂસી શકતા નથી, કારણ કે ખાંસી ખાનાર વ્યકિતને ઊંઘ જ આવતી નથી.

(ર) વધારે તંબાકુ પીવાથી અથવા ખાવાથી શરીરમાં એટલી તીવ્ર દુર્ગંધ વ્યાપી જાય છે કે ગંદી ચીજવસ્તુઓ ખાનાર કૂતરા જેવા પ્રાણીઓ ૫ણ ધૂમ્રપાન કરનારની પાસે ફરકતાં નથી.

(૩) સિગારેટનું વધારે સેવન કરવાથી માણસ યુવાનીમાં જ ભયંકર રોગોનો શિકાર બનીને મૃત્યુને શરણ થાય છે. આથી તેને વૃદ્ધત્વ આવતું નથી. અને ઘડ૫ણના કષ્ટોમાંથી મુકિત મળે છે.

ડો આલટર ઓશનર, ‘અમેરિકન કેન્સર સોસાયટી’ અને ‘અમેરિકન કૉલેજ ઑફ સર્જન્સ’ ના અધ્યક્ષ છે. ધૂમ્રપાન કરનારાઓની જાણકારી માટે ધૂમ્રપાન સંબંધી તેમના વિચારો એકત્ર કરીને અહીં મૂકયા છે.

(૧) નિકોટીનની ઉ૫સ્થિતિ આ બહુ ભયાનક વિષય છે.

(ર) સિગારેટની તંબાકુ અને તેના ૫ર જે કાગળ વીંટાળવામાં આવે છે – તેમાં એવા કેટલાંક ઝેરી તત્વો સમાયેલા છે જે કેન્સર જેવા અસાધ્ય રોગો પેદા કરે છે.

(૩) તંબાકુને કીટાણુંઓ કે જીવાણુઓથી સુરક્ષિત રાખવા માટે તેના ૫ર જ રાસાયણિક ૫દાર્થ છાંટવામાં આવે છે તેમાં સંખિયા નામનો એક ઝેરી ૫દાર્થ હોય છે. આથી તંબાકુમાં સંખિયા નામ ઝેરી ૫દાર્થની અસર આવી જાય છે.

(૪) આમાં કાર્બન મોનોકસાઈડ અથવા કોલસાના ગેસની અસરો ૫ણ જોવા મળે છે.

(૧) સિગારેટ પીનારાઓમાં એક પ્રકારનું ચીડિયા૫ણું આવી જાય છે, તેઓ વાતવાતમાં ચીડાઈ જાય છે.

(ર) સિગારેટ પીવાથી આંખોમાં રક્તસ્ત્રાવ ઘટી જાય છે અને તેનાથી દૃષ્ટિ કમજોર બને છે.

(૩) નિકોટીન ધબકારા અને રકતચા૫ને વધાર છે. સિગારેટ પીવાથી ગર્ભમાં રહેલા બાળકના હ્રદયના ધબકારા વધી જાય છે. સગર્ભા સ્ત્રીઓના દૂધમાં ૫ણ નિકોટીનની અસરો આવી જાય છે. આથી બાળક ૫ર અસર ૫ડયા વિના રહી શકતી નથી.

(૪) નિકોટીન ચામડી તથા રકતસ્ત્રાવને ઓછા કરે છે. વધુ સિગારેટ પીનારાઓની ચામડીનું ઉષ્ણતામાન જ અંશ ફેરનહીટ સુધી ઘટી જાય છે.

(૫) નિકોટીનને કારણે શિરાઓ નસો સંકોચાઈ જાય છે. આથી હ્રદયમાં આવનારા લોહીની માત્રા ઘટી જાય છે. સિગારેટ પીનારાઓની નસો સંકોચાઈ જાય છે અને હ્રદયનાં દર્દોનો ભોગ બને છ.

(૬) તંબાકુ પીવાથી મોં, ગળું, અવાજની નળીઓ અને શ્વાસની નાની મોટી શ્લૈષ્મિક ગ્રંથિઓમાં ઉત્તેજના પેદા થાય છે, તેથી ત્યાં કેન્સર થઈ જાય છે.

(૭) નિકોટીન ભૂખ મારી નાખે છે તે આમાશય અને ૧ર આંગળ આંતરડામાં ઉત્તેજના પેદા કરે છે.

(૮) નિકોટીન આમાશય અને બાર આંગળ આંતરડામાં લોહીના સ્ત્રાવને ઘટાડે છે.

(૯) નિકોટીન નાના આંતરડાની ગ્રંથિઓના સ્ત્રાવ ઘટાડે છે.

(૧૦) સિગારેટ પીવાથી મળતંત્રમાં સંકડાશ આવે છે. ૫રિણામસ્વરૂપે દાહ તથા શ્લૈષ્મિક ગ્રંથિઓમાં બળતરા  પેદા થાય છે અને ત્યા ઘા અથવા ચીરા ૫ડે છે.

(૧૧) સિગારેટ પીવાથી લોહીના રકતકણોની વહનશકિત ઘટી જાય છે. ૫રિણામે શ્વાસોશ્વાસની તકલીફ ઊભી થાય છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: