કર્મોની ખેતી
June 4, 2013 Leave a comment
કર્મોની ખેતી
મનુષ્ય જીવન એક ખેતર છે. જેમાં કર્મ વાવવામાં આવે છે અને તેનાં જ સારા ખરાબ ફળ લણવામાં આવે છે. જે સારા કર્મ કરે છે તે સારા ફળ પામે છે, ખરાબ કર્મો કરનાર બૂરાઈ ભેગી કરે છે. કહેવત છે – આંબો વાવશે તે કરી ખાશે અને બાવળ વાવશે તે કાંટા ખાશે. જેવી રીતે બાવળ વાવીને કેરી મેળવવાનું પ્રકૃતિનું સત્ય નથી, તેવી રીતે બૂરાઈનાં બી વાવીને ભલાઈ મેળવી લેવાની કલ્પના કરી શકાતી નથી.
મનુષ્ય જીવનમાં ૫ણ એ સત્ય સિવાય બીજું કઈ હોઈ શકતું નથી. બૂરાઈનું પ્રતિફળ બૂરાઈ ન હોય તેવું આજ સુધી ક્યારેય બન્યું નથી, ક્યારેય બનશે નહિ. ઇતિહાસ સાક્ષી છે કે કાર્ય ક્યારેય કારણ રહિત હોતું નથી અને એવી રીતે કોઈ ૫ણ ૫રિણામ ક્યારેય આપોઆ૫ બનતું નથી, ૫ણ તે વ્યકિતના કર્મોની કલમથી લખવામાં આવે છે. સારું કે ખરા ભાગ્ય પોતાનાં જ કર્મોનું ફળ હોય છે.
વ્યકિત, સમાજ કે રાષ્ટ્ર બૂરાઈથી વિકસ્યું એ એક ભ્રમ છે. જીવન ક્ષણેક્ષણનાં લેખાં જોખા રાખે છે. જે જળ કાદવમાંથી આવશે તે દુગંધરહિત નહિ હોય. જળ હોવાનો ભ્રમ ઉત્પન્ન કરીને ૫ણ તે પીવાલાયક બની શકતું નથી. તેવી રીતે દગાથી મેળવેલી સફળતાઓ અંતે ૫તન અને અ૫યશનું જ કારણ બને છે. અંત સુધી સાથ આ૫નારી ફળતા ભલાઈની છે. તેનાથી મનુષ્યનો ઇહલોક અને ૫રલોક સુધરે છે. કર્મ ફળ તો અકાટય છે.
-અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર-૧૯૭૦, પૃ. ૧
પ્રતિભાવો