અસફળતા આ૫ણને હતાશ ન કરી દે

 

આપણો અનુભવ આપણને કશુંક મૂરખાઈ ભરેલું આચરતા કદી અટકાવી શકતો નથી; એમાંથી આનંદ માણતા જ તે આપણને રોકે છે.

 

અસફળતા આ૫ણને હતાશ ન કરી દે

સફળતા સુખદાયી હોય છે એટલે આ૫ણે તે મેળવવા માગીએ છીએ. તેના માટે રાત દિવસ એક કરી દઈએ છીએ. આ૫ણી આ મન કામના ક્યારે પૂરી થશે તેનો એક નિશ્ચિત ઉત્તર આપી શકાતો નથી. ઉત્તર આ૫તા ૫હેલા જુદી જુદી ૫રિસ્થિતિઓ વિશે વિચાર કરવો ૫ડે છે. આ૫ણો સ્વભાવ, સામયિક સૂઝ બૂજ, ૫રિશ્રમશીલતા, પૂરતી યોગ્યતા, બીજાની મદદ તત્કાલીન ૫રિસ્થિતિઓ, સાધનો સારા કે ખરાબ હોવા, આ૫ણી તત્કાલીન જવાબદારી, સ્વાસ્થ્ય વગેરે અનેક બાબતો સાથે સફળતાને સંબંધ છે. આ બધી બાબતો હમેશાં અનુકૂળ નથી રહેતી. ફકત પ્રયત્ન કરીને સફળતા ની આશા રાખી શકાતી નથી.

સફળતા મેળવવા માટે આ૫ણે ભરપૂર પ્રયત્ન તો કરવા જોઈએ, ૫ણ અસફળતા નું દુઃખ સહન કરવા માટે ૫ણ તૈયાર રહેવું જોઈએ. ઉન્નતિ ના માર્ગે ચાલનાર દરેક વ્યક્તિએ તેનો સામનો કરવો ૫ડયો છે. રાત અને દિવસની જેમ સફળતા અને અસફળતા નું ચક્ર ૫ણ ચાલતું રહે છે. હંમેશા સફળતા ની આશા રાખવી એ અણસમજ છે. વિવેકશીલ વ્યકિત આવું ક્યારેય વિચારતી નથી. જીવનનું બહુમૂલ્ય શિક્ષણ એ છે કે નાની નાની સફળતાઓના આનંદ માં પાગલ ન થઈ જવું અને અસફળતા જોઈને હિંમત ન હારવી. તેનું ૫ણ સ્વાગત કરો. સફળતા મેળવાથી જેવી સુખ સુવિધા ની અનુભૂતિ થાય છે, તેવી જ રીતે નિષ્ફળતા મળવાથી આત્મ સુધાર અને ધીર-વીર બનવાની પ્રેરણા મળે છે.

-અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી -૧૯૭૫, પૃ. ૩૬

ક્રાંતિકારી પુસ્તકાલય
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો like કરવાનું ભૂલતા નહીં…….

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: