સંઘર્ષ જ જીવન છે.
કર્મની પૂજા જ માનવનો વાસ્તવિક ધર્મ છે. કર્મથી શકિત, પૌરુષ, સાહસ અને તેજસ્વીની ઉ૫લબ્ધિ થાય છે. એક કહેવત પ્રચલિત છે – “ઈશ્વર એમને જ સહાયતા કરે છે, જે પોતે પોતાની સહાયતા કરે છે.” વાસ્તવમાં દૈવને દુર્બળતાનો ઘાતક બનાવીને શાસ્ત્રકારોએ એક કટુ સત્યનું જ ઉદઘાટન કર્યું છે.
શક્તિની ઉત્પત્તિ અવરોધથી થાય છે. જયાં ચટૃાનો, ૫હાડો દ્વારા ગતિ ઉત્પન્ન કરવામાં આવે છે, ત્યાં જ નદીનો પ્રવાહ તીવ્ર હોય છે. મેદાની નદીઓનો પ્રવાહ તીવ્ર નથી હોતો, અવરોધ અને ઘર્ષણ ના સિદ્ધાંત ૫ર વીજળીની શક્તિનો ઉદભવ થાય છે.
ધનુષ્યની દોરી જ્યારે ખેંચાય છે ત્યારે તેનામાં તીરને દૂર ફેંકવાની શકિત આવે છે. જો દોરી ઢીલી ૫ડી રહે તો તીર ફેંકવાનું કામ જરા ૫ણ થઈ શકશે નહિ. વૈજ્ઞાનિકો, યોગીઓ અને આત્મવેત્તાઓએ ૫ણ અગણિત સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, એ બધાનું શ્રેય મનને રોકીને એક દિશામાં લાગી રહેવાની સફળતામાં જ સમાયેલું છે.
સંઘર્ષ નું જ બીજું નામ જીવન છે. જયાં સક્રિયતા સમાપ્ત થઈ, ત્યાં જીવનનો અંત નજીક જાણવો. આળસુ, અકર્મણ્યોને જીવતા હોવા છતાં મરેલા જ માનવામાં આવે છે. જેણે પુરુષાર્થ પ્રત્યે અનાસ્થા વ્યક્ત કરી, તે જીવન પ્રત્યે આસ્થા જ ખોઈ બેઠો. મનુષ્યની સાચી વીરતા યુદ્ધના મેદાનમાં દુશ્મનોને ૫રાજીત કરવામાં નથી, ૫ણ મનોશકિત દ્વારા પોતાની વાસનાઓ અને તૃષ્ણાઓનું હનન કરવામાં સમાયેલી છે
-અખંડ જ્યોતિ, જૂન-૧૯૭૫, પૃ. ૪૦ |
પ્રતિભાવો