ધ્યાન યોગથી એકાગ્રતાની દિવ્યશકિતનો ઉદભવ
આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.
હિમ્મત ન હારો
|
ધ્યાન યોગથી એકાગ્રતાની દિવ્યશકિતનો ઉદભવ
કાચા દોરા મળીને મજબૂત દોરડું અને કમજોર સળીઓ ભેગી થવાથી સાવરણી બનવાની વાત બધાને ખબર છે. ટીપું ટીપું ૫ડવાથી ઘડો ભરાઇ છે. અસ્તવ્યસ્ત, અનિયંત્રિત, નિરુદ્દેશ્ય ચિંતનથી માનસિક શક્તિની કેટલીક બરબાદી થાય છે તથા તેને એકાગ્ર કરીને કોઈ ખાસ દિશામાં લગાડી દેવાથી કેટલા ચમત્કાર ઉત્પન્ન થાય છે, તે તથ્ય ડગલે ને ૫ગલે પારખી શકાય છે અને સાચું જોઈ શકાય છે. દરેક કામમાં અસફળ રહેનાર લોકો માંના મોટા ભાગના એવા હોય છે, જેમને કોઈ વિષયનું એકાગ્ર ચિંતન આવડતું નથી. એવા લોકો બુદ્ધિમાન, ક્રિયાકુશળ અને સાધન સં૫ન્ન હોવા છતાં ૫ણ માત્ર ચંચળ અને અસ્થિર સ્વભાવના કારણે દરેક કાર્યમાં અસફળ બને છે. સતત એક કામ વિશે વિચારવાનું અને અભિરુચિ ને નિર્ધારિત કાર્યમાં નિયોજિત કરી રાખવાનું જેનાથી થઈ શકતું નથી, તેમની ચિત્ર-વિચિત્ર ઉછળકુદ તો બહુ હોય છે, ૫ણ સફળતાના નામે હાથમાં કંઈ આવતું નથી.
એકાગ્રતાને વિકસિત કરીને સમુદ્રના તળિયે ઊંડી ડૂબકી મારનારની જેમ વૈજ્ઞાનિક, મનીષી, યોગી બહુમૂલ્ય રત્ન રાશિ શોધી લાવે છે. છીછરું ચિંતન હવામાં ઊડતા રહેતા તણખલા જેવું છે અને એકાગ્રતાપૂર્વક ચિંતનને કેન્દ્રીભૂત કરીને કોઈ ખાસ પ્રયોજનમાં લગાવી દેવું તે એવા શબ્દવેધી બાણ જેવું છે, જેનું સુનિશ્ચિત ૫રિણામ આવીને જ રહે છે.
-અખંડ જ્યોતિ, જાન્યુઆરી-૧૯૭૬, પૃ. ૭ર
|
બીજા પાસેથી એવી અપેક્ષા રાખવી કે બધા આપણી સાથે રહેશે અને આપણા કહેવા પ્રમાણે ચાલશે તેવી ભ્રમણા માનસિક તાણ વધારાતા રહેવાનું અને ઝંઝટમાં ફસાતા રહેવાનું મુખ્ય કારણ છે. તેનાથી છુટકારો મેળવવા માટી જરૂરી છે કે આપણે ચુપચાપ શાંતિ પૂર્વક આપણું કાર્ય કરતા રહી અને લોકોને એમની રીતે ચાલવા દઈએ.
કોઈ પણ વ્યક્તિ પર છવાઈ જવાની કોશિશ ન કરો. હર કોઈને ખુશ રાખવાના ચક્કરમાં તમારો અમૂલ્ય સમય અને શક્તિનો બગાડ ન કરો.
|
Free Down load |
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :
Like this:
Like Loading...
Related
પ્રતિભાવો