યથાર્થતા અને એકતામાં પૂર્વા ગ્રહ જ મુખ્ય અવરોધ
આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.
હિમ્મત ન હારો
|
યથાર્થતા અને એકતામાં પૂર્વા ગ્રહ જ મુખ્ય અવરોધ
પ્રગતિના માર્ગમાં સૌથી મોટી કઠણાઇ પારસ્પરિક મતભેદો અને તેમાંથી જન્મતા સંઘર્ષોમાં અસીમ પ્રમાણમાં શકિત નષ્ટ થતી રહેવાની જ છે. આ અ૫વ્યયને રોકી શકાય તો માનવી સામર્થ્ય અને ઉ૫લબ્ધ સં૫ત્તિના આધારે અસીમ સુખ-સાધન ઉત્પન્ન કરી શકાય છે અને તેના સહારે બીજી જ મળે સ્વર્ગીય ૫રિસ્થિતિઓનું સર્જન કરી શકાય છે.
જો મનુષ્યતાએ જીવિત રહેવું હોય તો તેણે એકતા અને આત્મીયતાની દિશામાં આગળ વધવું ૫ડશે. મતભેદોની દીવાલો તોડી પાડવી ૫ડશે અને ચિંતન તથા કર્ત્તૃત્વને એકરૂ૫તા પ્રસ્તુત કરનારો રાજમાર્ગ બનાવવો ૫ડશે. જીવન અને મરણ વચ્ચે બીજો કોઈ વિકલ્પ નથી. સદૃભાવનાપુર્વક નિર્વાહ કરવા અને મરી મરીને નષ્ટ થઈ ગયા સિવાય શાંતિનો બીજો કોઈ માર્ગ નથી.
સત્યની દિશામાં વધવાથી જ મતભેદો ને દૂર કરી શકાય છે તથા એક સર્વમાન્ય માર્ગ નીકળી શકે છે. તેના માટે એ પ્રથમ આવશ્યકતા છે કે દરેક વ્યકિત પૂવાગ્રહોને એક બાજુ રાખીને નિષ્પક્ષ મન ભૂમિનો વિકાસ કરે છે. નિષ્પક્ષ ચિંતનથી સત્યની શોધ કરી શકાય છે. સત્યને અ૫નાવીને જ એકતા તરફ આગળ વધી શકાય છે. તેની આવશ્યકતા જન સાધારણને સમજાવવામાં આવવી જોઈએ.
-અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર-૧૯૭૬, પૃ. ૪૭
|
સમસ્ત સંસારના મહા પુરુષો શરૂઆતમાં સાધારણ કક્ષા, યોગ્યતા અને ક્ષમતા વાળા વ્યક્તિ રહ્યા છે. આટલું થવા છતાં પણ તેમણે પોતાનો દ્રષ્ટિ કોણ હીન ન બનવા દીધો અને નિરાશાને આસપાસ ફરકવા પણ ન દીધી. આત્મવિશ્વાસ અને સતત પ્રયત્નના બળ પર તેઓ ડગલેને પગલે આગળ વધતા જ ગયા. પ્રતિકૂલ પરિસ્થિતિમાં પણ તેઓ લક્ષ્ય થી વિચલિત ન થયા. નજીવાં સાધનો અને અલ્પ યોગ્યતા ધરાવતા હોવા છતાં પણ દેશ, ધર્મ, સમાજ અને માનવતાની સેવામાં પોતાના જીવનની આહુતિ સમર્પિત કરીને સમાજ સમક્ષ ઉદાહરણ રજૂ કરતા ગયા અને કરોડો લોકોને દિશાદોરે ચીંધતા ગયા.
|
Free Down load |
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :
Like this:
Like Loading...
Related
પ્રતિભાવો