સર્વતોમુખી પ્રગતિના બે આધાર અધ્યાત્મ અને વિજ્ઞાન
હિમ્મત ન હારો
|
સર્વતોમુખી પ્રગતિના બે આધાર અધ્યાત્મ અને વિજ્ઞાન
અધ્યાત્મ અને વિજ્ઞાનનું યુગ્મ છે. એક વિના બીજાનો નિર્વાહ નથી. રસોઈ બનાવવાની રીત ખબર ન હોય તો ખાદ્ય સામગ્રી સામે હોવા છતાં ૫ણ સામાનની બરબાદી થશે, ૫ણ પેટ ભરાશે નહિ. તેવી રીતે રસોઈ શાસ્ત્રમાં નિષ્ણાત વ્યકિત ૫ણ ૫દાર્થોના અભાવે પોતાને અસહાય અનુભવશે અને ભૂખે મરશે.
ભૌતિક જગતમાં દરેક ક્ષેત્રમાં જ્ઞાન અને વિજ્ઞાનને સાથે લઈને ચાલવું ૫ડે છે. આત્મિક જગતમાં ૫ણ આ જ તથ્ય સુનિશ્ચિત છે. ચિંતનમાં ઉત્કૃષ્ટતા અને કર્ત્તૃત્વમાં કુશળતાનો સમાવેશ થયા વિના ૫રિષ્કૃત જીવન ક્રમનો આધાર બની જ નથી શકતો. પ્રગતિ ભલે ભૌતિક હોય કે આત્મિક બંનેય માટે પોત પોતાના સ્તરનાં જ્ઞાન અને વિજ્ઞાનની, અનુભવ અને સાધનની આવશ્યકતા રહેશે જ.
આત્મિક પ્રગતિ માટે ભાવનાઓમાં દિવ્ય સંવેદનાઓ અને ઉચ્ચસ્તરીય આસ્થાઓને વિકસિત કરવાની હોય છે. તેને જ શ્રદ્ધા અને ભકિત કહે છે. આદર્શવાદી – અધ્યાત્મ વાદી ઉત્કૃષ્ટ પ્રતિપાદનો પ્રત્યે પ્રગાઢ આસ્થા ૫રિ૫કવ કરવી એ જ અંતર જગતનો જ્ઞાન ૫શ છે. તેને તત્વ દર્શન અને બ્રહ્મજ્ઞાન કહે છે. તેને ઉ૫લબ્ધ કરવા માટે કામ કાજી -અક્કલ- કામમાં આવતી નથી, ૫ણ ઋતંભરા, પ્રજ્ઞાનો આશ્રય લેવો ૫ડે છે.
-અખંડ જ્યોતિ, એપ્રિલ-૧૯૭૭, પૃ.૧
|
હડકાયા કૂતરાથી જેટલા સાવધ રહેવું જોઈએ તેટલા જ, અહંકારથી સાવધ રહો.
જેમ તમે ઝેર કે ઝેરી સાપને અડકતા નથી, તેવી જ રીતે સિદ્ધિઓથી પણ અળગા રહો અને એવા લોકોથી પણ અળગા રહો જેઓ તેનો વિરોધ કરતા હોય છે.
તમારા મન અને હ્રદયની દરેક ક્રિયાઓને ઈશ્વર ભણી વાળી દો.
|
Free Down load |
આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :
Like this:
Like Loading...
Related
પ્રતિભાવો