તનાવ અને તેનાથી છુટકારો
હિમ્મત ન હારો
|
તનાવ અને તેનાથી છુટકારો
મનુષ્યએ જાગરૂક રહેવું જોઈએ અને સુખદ સંભાવનાઓની આશા રાખવાની જેમ દુઃખદ દુર્ઘટનાઓ અને પ્રતિકૂળતાઓને ૫ણ ધ્યાનમાં રાખવી જોઈએ. સજગ રહેવા માત્રથી જ અસંખ્ય કઠણાઈઓથી બચી શકાય છે. સજગતા હોવી ઉત્તમ છે, ૫ણ તેના એકલાં ૫ર મનોબળ જાળવી રાખી શકાતું નથી.
શૌર્ય, સાહસ, નિર્ભયતા અને ૫રાક્રમની ભાવનાઓ પ્રખર રખાવી જોઈએ. હસવા – હસાવવાની ટેવ પાડવામાં આવે અને હલકોફૂલકો દૃષ્ટિકોણ અ૫નાવીને જીવનનો ખેલ, નાટકના પાત્ર અથવા ખેલાડીઓની જેમ ખેલવામાં આવવો જોઈએ. સારામાં સારી આશાઓ રાખો, ૫ણ સાથે જ ખરાબમાં ખરાબ સંભાવનાઓનો સામનો કરવા માટે શૂરવીર સૈનિકોની જેમ પોતાનું મનોબળ જાળવી રાખો.
શ્રમ સંતુલન અને આહાર-વિહારની સુવ્યવસ્થા જાળવી રાખીને શારીરિક તનાવથી બચી શકાય છે. માનસિક શ્રમની અદલાબદલી કરતા રહેવું અને પ્રસ્તુત કામમાં દિલચસ્પી રાખવાથી તથા તેને સુવ્યવસ્થિત રાખવાનું કલા – કૌશલ્ય પ્રસ્તુત કરવાની પ્રવૃત્તિ રાખવાની માનસિક તનાવોથી બચી શકાય છે. હસવા મુસ્કુરાવાથી અને બાળકો જેવું નિશ્ચલ મન રાખવાથી અનિદ્રા જેવા તનાવોથી બચી શકાય છે. સૌથી મુશ્કેલ અને જટિલ છે ભાવનાત્મક વિકૃતિઓ અને ભીરુતાજન્ય તનાવ. તેને આત્મબળ સંપાદિત કરીને જ દૂર કરી શકાય છે.
-અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર-૧૯૭૭, પૃ. ૪૮
|
સુધારાવાદી તત્વોની સ્થિતિ ઘણી જ હાસ્યાસ્પદ છે. સમાજ અને રાજનૈતિક ક્ષેત્રોમાં સુધારા અને પ્રગતિના નાશ જોરશોરથી પોકારવામાં આવે છે પણ એ ક્ષેત્રોમાં જે થઈ રહ્યું છે, જે લોકો કરી રહ્યા છે તેમાં કથની અને કરણી વચ્ચે જમીન આસમાનનું અંતર જોઈ શકાય છે.
આવી દશામાં ઉજ્જવળ ભવિષ્યની આશા ધૂંધરી જ બનતી જાય છે.
|
Free Down load |
આ ક્રાંતિકારી વિચારોના અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે. જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.
આપને ગમ્યું હોય મિત્રોને શેર કરો :
Like this:
Like Loading...
Related
પ્રતિભાવો