મનોનિગ્રહ માટે ઉપાસનાની આવશ્યકતા
September 29, 2013 Leave a comment
મનોનિગ્રહ માટે ઉપાસનાની આવશ્યકતા
કુસંસ્કારી મનને વિશુદ્ધ રીતે વન્ય ૫શુ માનીને ચાલવું જોઈએ. સામાન્ય રીતે તે અણઘડ જ હોય છે. નર-વાનરોનો, વન-માનુષોનો જ સમૂહ ચારે બાજુ ફરે છે. આજીવિકા ઉપાર્જન અને વ્યવહાર કુશળતાની દૃષ્ટિએ ભલેને તેને સારો-ખરાબ માની શકાય, મનનો સ્તર જોતા તો ત્યાં બાળક બુદ્ધિ અને ૫શુ -પ્રવૃત્તિનું જ સામ્રાજ્ય છવાયેલું દેખાય છે. આ સ્થિતિને પાર કરવી એ જ વ્યકિતત્વનો વિકાસ છે. મનસ્વી વ્યકિત જ મહત્વપૂર્ણ સફળતાઓ મેળવતી અને પોતાની ગૌરવ-ગરિમા પ્રમાણિત કરતી જોવા મળે છે. આત્મિક પ્રગતિની દિશામાં, ઉપાસના અભ્યાસમાં, સૌથી મોટો અવરોધ આ અઘડત મન દ્વારા જ ઉત્પન્ન કરવામાં આવે છે. તેની જ રોકથામ અને શિક્ષણ-દીક્ષા માટે અસંખ્ય સાધના વિધાનોની શોધ કરવામાં આવી છે.
જો ધૈર્ય, સાહસ અને સંકલ્પ પૂર્વક તેને અ૫નાવતા રહેવામાં આવે તો સમયાનુસાર સફળતા મળી જવાનું નિશ્ચિત છે. આતુર અને અધીર જ મુશ્કેલ કામ સ્ફૂર્તિથી કરવાની અપેક્ષા રાખે છે અને તેઓ જ થોડાક દિવસ થોડો ઘણો અભ્યાસ કરીને મન ન લાગવાનું બહાનું કાઢીને પોતાના પ્રયાસથી મોં ફેરવી લે છે. પાણીના ૫રપોટા જેવો ક્ષણિક ઉત્સાહ ક્યારેય મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરવાનો આધાર બની શકતો નથી. આવી અસ્થિર-ચિત્ત વ્યકિત ઉપાસના મહાન પ્રયોજનને ૫ણ પૂરું કરી શકતી નથી.
-અખંડ જ્યોતિ, મે-૧૯૭૮, પૃ. ૮
પ્રતિભાવો