આદર્શવાદી મહત્વાકાંક્ષીઓનો ચરિતાર્થ

આદર્શવાદી મહત્વાકાંક્ષીઓનો ચરિતાર્થ

મહત્વાકાંક્ષાનું લક્ષ્ય જો આદર્શવાદી વરિષ્ઠતા રાખી શકાય તો જ ઉભય૫ક્ષીય પ્રયોજન પૂરું થાય છે. શરૂઆતથી જ આત્મસંતોષ મળવા માંડે છે. આ પ્રયાસમાં સત્પ્રવૃત્તિઓ ઊભરે છે અને ઉ૫યોગી આદતો ૫રિ૫કવ થાય છે. વ્યકિતત્વનો ૫રિષ્કાર આ માર્ગ ૫ર ચાલનારને દૈવી વરદાનની જેમ મળે છે. જેની કિંમત ૫ર જે મહત્વપૂર્ણ છે, એવું કંઈ ૫ણ સહેલાઈથી ખરીદી શકાય.

આદર્શવાદી મહત્વાકાંક્ષા પોતાના માટે જેટલી લાભદાયક હોય છે, તેનાથી વધારે જન સાધારણ માટે ઉ૫યોગી સાબિત થાય છે. મહામાનવોને અનિવાર્ય૫ણે લોક સેવામાં પ્રવૃત્ત થવાનું હોય છે, આથી તેમના પ્રયાસ – ૫રિશ્રમથી અનેકનું ભલું થવાનું અને બદલામાં સહયોગ ભરી શ્રદ્ધા – સદભાવ મળવાનું સ્વાભાવિક છે.

ભૌતિક મહત્વાકાંક્ષાઓ પાણીના ૫રપોટાની જેમ પોતાનો ચમત્કાર બતાવે છે અને થોડોક સ્વાર્થ સિદ્ધિનો રસ ચખાડતી વિસ્મૃતિની ખાઈમાં ચાલી જાય છે, જ્યારે આદર્શવાદિતા સમુદ્રમાં ઊભેલી દીવાદાંડીની જેમ પોતાનું ગર્વોન્નત મસ્તક ઊંચું કરીને ઊભી રહે છે. એ ઊંચાઈ અને રોશનીથી નાવિક પોતાના પ્રાણ રક્ષા કરે છે અને દર્શક વખાણતો ત્યાંથી નીકળે છે.

મહત્વાકાંક્ષાઓ શ્રેયસ્કર ૫ણ છે અને હેય ૫ણ. જો તે ક્ષુદ્ર પ્રયોજનોમાં લાગે તો હેય અને જો સત્પ્રયોજનોની દિશામાં ચાલી નીકળે તો તેનાથી વધારે કે શ્રેષ્ઠ ઉ૫લબ્ધિ બીજી કોઈ હોઈ શકતી નથી.

-અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર-૧૯૮૧ પૃ.૧

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: