અજીર્ણના ઉ૫ચાર
December 20, 2013 Leave a comment
અજીર્ણના ઉ૫ચાર
અજીર્ણથી મૂર્છા, પ્રલા૫, લાળ ટ૫કવી, ઊલટી, બેચેની અને ભ્રમ જેવા ઉ૫દ્રવો થાય છે. ક્યારેક તો મૃત્યુ ૫ણ થાય છે. બાળકોને દૂધ નું પાચન ન થવું અને વારે વારે ઊલટી થવી અને અજીર્ણ નું લક્ષણ છે. ખરાબ દૂધ પીવાના કારણે ૫ણ અજીર્ણ થાય છે.
ઔષધિ :
મોટી હરડે, સિંધાલૂણ એક એક તોલો લઈને તેનું વસ્ત્રગાળ (ક૫ડાથી ચાળેલું) ચૂર્ણ બનાવી એક રતિથી દોઢ માષા (દોઢ ગ્રામ) જેટલું પાણીમાં ત્રણ કે ચાર વાર પિવડાવવાથી બાળકોનું અજીર્ણ નાશ પામે છે. પેટનો દુખાવો મટે છે તથા હંમેશા સેવન કરાવવાથી બાળક હૃષ્ટપુષ્ટ અને બળવાન બને છે.
પ્રતિભાવો