ખાંસીની ચિકિત્સા

ખાંસીની ચિકિત્સા 

(૧) અતિ વિષય, નાગર મોથ, કાકડાશીંગી, ધમાસો અને લીંડીપી૫ર આ બધાનું ચૂર્ણ બનાવીને મધ સાથે ચટાડવાથી બાળકોની પાંચેય જાતની ખાંસીમાં આરામ થઈ જાય છે.

(ર) ફુલાવેલી ફટકડી ર તોલા, ફુલાવેલો ટંકણખાર ૪ તોલા આ બન્નેનું ચૂર્ણ દૂધ અને મધની સાથે સેવન કરાવવાથી ખાંસી મટે

(૩) ધાણા ૩ ગ્રામ, સાકર ૩ ગ્રામ આ બન્નેને બારીક ખાંડીને ચોખાનાં ધોવરામણની સાથે પીસીને મધ મેળવી બે વાર પિવડાવવાથી બાળકોની ખાંસી નાશ પામે છે.

(૪) સિંધાલૂણ, કાળા મરી, સૂંઠ, જૂનો ગોળ આ બધાનો ઉકાળો બનાવી ગાળીને દિવસમાં બે વાર પિવડાવવાથી બાળકોની ખાંસી નાશ પામે છે.

(૫) અરડૂસી, દ્રાક્ષ, હરડે અને લીંડી પી૫ર આ બધાનું ચૂર્ણ કરીને મધ સાથે, ૩-૪ દિવસ ચટાડવાથી બાળકોના શ્વાસ, ખાંસી વગેરેમાં આરામ થાય છે.

(૬) ભોંયરીંગણીનાં ફૂલોનું ૫રાગ (કેસર) ને પીસીને મધમાં મેળવી ચટાડવાથી બાળકોને થયેલી લાંબા સમયની જૂની ઉધરસ (ખાંસી) માં આરામ થઈ જાય છે.

(૭) દ્રાક્ષ, લીંડી પી૫ર અને સૂંઠનું ચૂર્ણ મધ અને ઘીમાં મેળવી ચટાડવાથી બાળકોની ખાંસી શ્વાસ રોગ મટી જાય છે.

(૮) લીંડી પી૫ર, દ્રાક્ષ, અરડૂસીનું મૂળ અને હરડેનું ચૂર્ણ મેળવી મધની સાથે ચટાડવાથી બાળકોની ખાંસી તથા શ્વાસ નાશ પામે છે.

(૯) તુલસીના પાનનો રસ ૩ ગ્રાસ સહેવાય તેવો ગરમ કરીને તેમાં ૫ ટીપાં મધ મેળવી, બાળકોને ૩-૩ કલાકે ચાર વાર પિવડાવવાથી ખાંસી મટી જાય છે અને શ્વાસ રોગ તો એક જ દિવસમાં જતો રહે છે.

(૧૦) જાયફળ ૪ ગ્રામ, અગર ૧૦ ગ્રામ, લાલ સાટોડીના મુળ ૧૦ ગ્રામ, નાગકેસર ૧ તોલો, તજ ૧ તોલો નાની એલચી ૧ તોલો, તમાલ૫ત્ર ૧ તોલો, લીંડીપી૫ર ૧ તોલો, પુષ્કર મૂળ ૧ તોલો, લવિંગ ૧ તોલો, શતાવરી ૧ તોલો, લાલ ચંદન ર તોલા, આ બધાનું બારીક ચૂર્ણ કરીને દૂધ અને મધની સાથે દિવસમાં બેથી ત્રણ વાર આ૫વાથી બાળકોની ખાંસી તથા કફથી થયેલા રોગ નાશ પામે છે.

(૧૧) ૩૦ ગ્રામ ભોંયરીંગણીનું મૂળ, ૬૦ ગ્રામ જેઠીમધને અધ કચરા ખાડીને ૫૦૦ ગ્રામ પાણીમાં ઉકાળવા. જ્યારે ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે તેમાં ર૫૦ ગ્રામ સાકરની ચાસણી મેળવીને અવલેહ (ચાટણ જેવું) તૈયાર કરવો. દિવસમાં ર-૩ ગ્રામ અવલેહ ચટાડવાથી બાળકોની ખાંસી ચોક્કસ મટી જાય છે.

(૧ર) લવિંગ ૧ ગ્રામ, સિંધાલૂણ ર ગ્રામ કાકડાશીંગી ૪ ગ્રામ, અફીણ ૪ ગ્રામ, તજ ૪ ગ્રામ તથા ૧૦ તોલા ખસના શરબતનો અવલેહ બનાવીને ચટાડવાથી બાળકોની કફયુકત ખાંસી જેમાં ખાંસવાની સાથે કફનો ગળફો વધારે આવતો હોય તેમાં તરત જ આરામ થઈ જાય છે.

(૧૩) દાડમની કળી ૬ ગ્રામ, અફીણ ૬ ગ્રામ, જાયફળ ૬ગ્રામ, કપૂર, બાવળના કુણા પાન ૧ તોલો, રસાંજન (રસવંતી) ૧ તોલો, હળદર ૧ તોલો, બધાનું બારીક ચૂર્ણ કરીને આદુના રસમાં ઘૂંટીને કાળા મરીના જેવડી ગોળીઓ બનાવી લેવી. આ ગોળીનું માતાના દુધ અને મધની સાથે સેવન કરાવવાથી બાળકોની ખાંસી, ઝાડા અને ઠંડીના કારણે થયેલા રોગો તરત જ મટી જાય છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: