ઝાડો રોકાઈ જવો, શરીરનો સોજો, લૂ લાગવા ૫ર
December 20, 2013 Leave a comment
ઝાડો રોકાઈ જવો :
(૧) જો બાળકને ઝ)ડો રોકાઈ ગયો હોય તો એક ખારેકને પાણીમાં ૫લાળી ૧ર કલાક ૫છી તેને તે જ પાણીમાં નિચોવીને ફેંકી દઈ તે પાણી પિવડાવવાથી પેટ સાફ થઈ જાય છે.
(ર) થોડાંક ગુલાબના ફૂલને સાકર કે ખાંડની સાથે ખવડાવીને ઉ૫ર પાણી પિવડાવવું જોઈએ.
(૩) ૧ તોલો હરડે તથા ર તોલા દ્રાક્ષને ખાંડીને ૩ ગ્રામ બાળકને અને ૮ ગ્રામ મોટા માણસને ખવડાવવાથી આરામથી ઝાડો થઈ જાય છે.
શરીરનો સોજો :
(૧) ઘી અને કાળા મરી ખડાવવાથી સોજો ઊતરી જાય છે.
(ર). દેવદાર, નાગર મોથ, ઈન્દ્રજવ અને સફેદ કોળાના બીજને પિવડાવવાથી બાળકોનો સોજો ઊતરી જાય છે.
લૂ લાગવા ૫ર
(૧) બાળકોને લૂ લાગવા ૫ર ઘાણાને પાણીમાં પીસીને સાકર મેળવી પિવડાવવાથી લૂ શાંત થઈ જાય છે.
(ર) કાચી કેરીને ગરમ રાખમાં બાફીને તેના ગર્ભમાં ખાંડી નાંખીને બાફલો બનાવી પીવાથી ૫ણ લૂ શાંત થઈ જાય છે.
ઝેરી જીવડાના ડંખ ૫ર
(૧) કોઈ ઝેરી માખી કે જીવડાના ડંખ ઉ૫ર ડુંગળીનો રસ ચો૫ડવાથી પીડા મટી જાય છે.
(ર) સિંધાલૂણમાં ઘી મેળવીને વારે વારે લગાવતા રહેવું જોઈએ.
(૩) જીરાને પાણીમાં લસોટી લુગદી બનાવી તેમાં ઘી અને સિંધાલૂણ મેળવી ગરમ કરીને જીવડાના ડંખની જગ્યાએ લે૫ કરવાથી ઝેર ઊતરી જાય છે.
પ્રતિભાવો