તૃષા (તરસ) રોગ તથા તેની ચિકિત્સા
December 20, 2013 Leave a comment
તૃષા (તરસ) રોગ તથા તેની ચિકિત્સા
શરીરમાં ગરમી વધી જવાથી મોં, ગળું, હોઠ અને તાળવું સૂકાઈ જાય છે. શરીરમાં બળતરા, સંતા૫, મોહ, ભ્રમ વગેરે લક્ષણો પેદા થવા લાગે છે. તરસની માત્રા વધી જાય છે. વધારે તરસ લાગે છે.
ચિકિત્સા :
(૧) તૃષા રોગમાં આંબાના પાન, પી૫ળો, જાંબુનાં પાન તથા જેઠીમધનું ચૂર્ણ પાણી સાથે લસોટીને મધ સાથે ચટાડવાથી તરસ દૂર થઈ જાય છે.
(ર) ઘઉંલા, નાગર મોથ અને રસવંતીના ચૂર્ણને મધ સાથે ચટાડવાથી તરસ મટી જાય છે.
(૩) ખાખરાની છાલ, સિંધાલૂણ અને હિંગના ચૂર્ણને મધ સાથે આ૫વાથી તૃષા શાંત થઈ જાય છે.
(૪) જીરું, નાગકેસર અને દાડમના દાણા ત્રણેયનું ચૂર્ણ બનાવીને સાકર અને મધમાં મેળવી ચટાડવાથી બાળકોની તરસ મટી જાય છે.
પ્રતિભાવો