ઉદર શૂલ અને તેની ચિકિત્સા :
December 23, 2013 Leave a comment
ઉદર શૂલ અને તેની ચિકિત્સા :
શૂળ રોગ ૮ પ્રકારના હોય છે. જેનાથી પેટમાં દુખાવો, ઊલટી, આફરો અને બેચેની વગેરે રોગ થાય છે.
ચિકિત્સા :
(૧) માટીને પાણીમાં ૫લાળીને નરમ બનાવીને તેને ગરમ કરી પેટ ૫ર મૂકી શેક કરવો જોઈએ. આનાથી ઉદર શૂળ મટી જાય છે.
(ર) નાની એલચી, સિંધાલૂણ, ભારંગી, સૂંઠ અને શેકેલી હિંગ આ બધાને સરખે ભાગે લઈને ચૂર્ણ કરીને ગરમ પાણીમાં ધોળીને પિવડાવવાથી બાળકોના પેટનું શૂળ શાંત થઈ જાય છે અને પેટલું ફૂલવું બંધ થઈને પાચન શકિત વધે છે. આનું પ્રમાણ ૧ રતિથી ૪ રતિ સુધીનું છે.
(૩) કાળા તલને પીસીને પોટલી બનાવી લેવી. પોટલીને ગરમ કરીને શેક કરવાથી શૂળ રોગ મટી જાય છે.
(૪) સરસવ જેટલી ફુલાવેલી હિંગ માના દૂધમાં કે ગરમ પાણીમાં બાળકને ખવડાવવાથી પેટની પીડા અને આફરો મટી જાય છે.
પ્રતિભાવો