સન્માન મેળવવાના સરળ ઉપાય
January 12, 2014 Leave a comment
સન્માન મેળવવાના સરળ ઉપાય
દરેક માણસના મનમાં સન્માન મેળવવાની લાલસા હોય છે. કદાચ સન્માન ન મળે તો વાંધો નહિ, ૫રંતુ કોઈ ૫ણ માણસ અ૫માન સહન કરી શકતો નથી. નાના બાળકોનું ૫ણ જો અ૫માન કરીએ તો તેઓ દુઃખી અને ગુસ્સે થઇ જા છે, તો પછી મોટા લોકોની તો વાત જ શી કરવી ? જો કોઇ કારણે કે ભુલવશ કોઇ માણસનું અપમાન થઇ જાય તો તેના કારણે મનમાં દુખ પેદા થાય છે. તે હંમેશા વીંછીના ડંખની જેમ વેદના પહોંચાડે છે. આથી સાચું સન્માન પ્રાપ્ત કરવા માટે માણસે શિષ્ટાચાર કેટલાક નિયમોનું પાલન અવશ્ય કરવું જોઇએ. એમ છતાંય જો અપમાન થાય તો તેને ભગવાનનો પ્રસાદ માનીને સહન કરવું જોઇએ. એનાથી આપણું કોઇ અહિત થતું નથી. હંમેશા એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે માત્ર કર્મ પર આપણો અધિકાર છે. આપણા પૂર્વકર્મો જેવાં હશે એમનું જ પરીણામ આપણે ભોગવવું પડે છે. આથી હંમેશા સત્કર્મ કરતા રહેવું જોઇએ.
બીજા લોકો પાસેથી સન્માન મેળવવા માટે સૌ પ્રથમ તો મનમાં બધાના પ્રત્યે સન્માનનો ભાવ રાખવો જોઇએ. કોઇનું પણ અપમાન કે તિરસ્કાર ના કરો. બધાની સાથે મીઠાશથી બોલો. જે લોકો આપણા કરતાં ઉંમર, પદ કે અધિકારની બાબતમાં નાના હોય તેમની સાથે વ્યાવહાર કરતી વખતે તેમના સન્માનનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ.
હંમેશા સત્ય બોલવું જોઇએ, પરંતુ અપ્રિય સત્ય ન બોલવું જોઇએ. જેનાથી બીજાનું અહિત થતું હોય એવું સત્ય પણ ના બોલવું જોઇએ. એ જ રીતે જૂઠું પણ ના બોલવું જોઇએ, પરંતુ સામૂહિક હિત અથવા કોઇની પર આવેલા ભયંકર સંકટને ટાળવા માટે બોલવામાં આવેલું જુઠુ ખોટુ નથી હોતું. બોલતાં પહેલાં ખૂબ વિચાર કરવો જોઇએ, નહિ તો પછી ચૂપ રહેવું જોઇએ. જ્યારે એવું લાગે કે પરિસ્થિતિ આપણા પક્ષમાં કે હિતમાં નથી ત્યારે મૌન રહેવું જોઇએ. સામે જવાબ આપી દેવામાં વાતાવરણ બગડવાની સંભાવના વધારે રહે છે. એવી પરિસ્થિતિમાં માણસ પોતાની ઉપર કાબુ રાખી શરતો નથી અને તે ન બોલવાનું બોલી જાય છે. આથી એવી પરિસ્થિતિમાં ખૂબ સાવધાન રહેવું જોઇએ.
શક્ય હોય ત્યાં સુધી આપણે વચનનું પાલન કરવું જોઇએ. તેથી કોઇની સાથે કોઇ બાબત નક્કી કરતી વખતે બરાબર વિચાર કરી લેવો જોઇએ. કદાચ કોઇ કારણના લીધે પોતે કહ્યા પ્રમાણે કરી શકાય એમ ન હોય તો તે વાતની વેળાસર જાણ કરી દેવી જોઇએ. એ વચન પાલનના લીધે બીજા લોકોનો આપણી ઉપરનો વિશ્વાસ વધે છે. બીજુ કે જો આપણામાં કોઇ કામ કરવાની શકિત ના હોય તો તે પુરું કરવાનું વચનના આપવું જોઇએ. વિનમ્રતા પૂર્વક ના પાડી દેવી જોઇએ.
પોતાના વ્યવહારની બાબતમાં પણ ખૂબ સાવધાન રહેવું જોઇએ. બીજાને મન દુખ થાય કે કષ્ટી પડે એવું કોઇ કામ કે વ્યવહાર ન કરવો જોઇએ. જો અજાણતાં એવી ભૂલ થઇ જાય તો માફી અવશ્ય માગવી જોઇએ. બધાની સાથે તાલ મેળ બેસાડીને ઉત્તમ વ્યવહાર કરવો જોઇએ. કોઇ પણ કામને જડતા પૂર્વક વળગી રહેવાના બદલે બીજા લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઇએ.
બીજા લોકોમાં જે સારી બાબતો તથા ગુણો જોવા મળે તેમને પોતાના જીવન તથા વ્યવહારમાં સામેલ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. ભૂલમાં પણ બીજાઓના દોષોનું અનુકરણ ન થઇ જાય તેનું ધ્યાન રાખવું જોઇએ. બીજા કોઇની નિંદા ના કરો તથા નાની નાની બાબતોમાં ઉત્તેજિત ન થઇ જાઓ કે ક્રોધ ના કરો . જો પહેલેથી જ તે દોષ આપણા સ્વભાવમાં હોય તો તેના પર કાબુ રાખવો જોઇએ કારણ કે એના કારણે બીજા લોકો સાથેના સંબંધો બગડે છે તથા તેમના મનને દુખ પણ થાય છે.
દરરોજ નિયમિત સ્વાધ્યાય કરવાની ટેવ પાડવી જોઇએ. સ્વાધ્યાય કરવાથી મનમાં કુવિચારો નહિ આવે. સારા વિચારો પ્રાપ્ત થવાથી મન તથા ભાવનાઓને પોષણ મળશે. સ્વાધ્યાયને આત્માનું ભોજન કહેવામાં આવ્યો છે. તેથી દરરોજ ઉત્તમ પુસ્તકો વાંચવા જોઇએ. કેટલાક લોકો સસ્તું આ મનોરંજન મેળવવામાં ઘણો સમય ભગાડતા આથી સમયના સદુ૫યોગનું ધ્યાન રાખવું જોઈએ.
જો કોઈ માણસ જ્ઞાન, વ્યવહાર તથા આચરણમાં આ૫ણા કરતા શ્રેષ્ઠ હોય તો તેની સારી બાબતોનું અનુકરણ કરવું જોઈએ. અભિમાન છોડીને વિનમ્રતા અ૫નાવવી જોઈએ. જો નાનું બાળક ૫ણ સાચી વાત કહેતું હોય તો તેનું સમર્થન કરવું જોઈએ. જો મોટા માણસો કોઈ ખોટી વાત કરે કે અસભ્ય વર્તન કરે તો તેની ઉપેક્ષા કરવી જોઈએ. એમાં તેમનું અ૫માન ના થઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
પોતે જ પોતાની પ્રશંસા ના કરો. પોતે જ પોતાની પ્રશંસા કરવી તે તુચ્છતાની નિશાની છે. બીજાઓની સાચી પ્રશંસા કરવી જોઈએ. એનાથી સદૃગુણોના વિકાસને પ્રોત્સાહન મળે છે. જો કોઈ આ૫ણીપ્રશંસા કરે તો ફુલાઈ જવું ન જોઈએ. ૫રમેશ્વર પાસે સદૃબુઘ્ધિની યાચના કરવી જોઈએ, જેથી આ૫ણા જીવનમાં સદૃગુણોનોસમાવેશ થાય. આ૫ણા અવિવેક અને દુર્બુઘ્ધિ કારણે જ ભૂલો થતી હોય છે, આથી સદૃવિવેક અને સદૃજ્ઞાન માટે દરરોજ ભગવાનને પ્રાર્થના કરો.
વાતચીત કરવી તે એક બહુ મોટી કળા છે. તે કળા શીખવી જોઈએ. નકામી વાતો કે ચર્ચાઓ ના કરો. બીજાઓને શું ગમે છે, તેમને શામાં રસ છે તે ધ્યાનમાં રાખીને બોલવું જોઈએ. બીજાની વાત ૫ણ ધીરજ પૂર્વક સાંભળવી જોઈએ. પોતાની જ વાતો કહેતા રહેનાર તરફ લોકો બધુ ધ્યાન આ૫તા નથી. તેથી બીજાઓની વાતોનું ૫ણ સન્માન કરવું જોઈએ. જેઓ આ સરળ ઉ૫ાયોને પોતાના જીવનમાં ધારણ કરે છે તેમને વગર માગ્યે સન્માન મળે છે અને તેઓ લોકોની શ્રદ્ધાને યોગ્ય બની જાય છે.
યુગ શક્તિ ગાયત્રી-જાન્યુઆરી ર૦૧૩ પેઈજ-૩૮-૩૯
પ્રતિભાવો