ખરાબ ટેવો અને દુષ્પ્રવૃત્તિઓને કઈ રીતે છોડી શકાય ? SJ-28. વ્યક્તિ નિર્માણ, સમસ્યા-૦૮
February 6, 2014 Leave a comment
આજની સમસ્યા : ખરાબ ટેવો અને દુષ્પ્રવૃત્તિઓને કઈ રીતે છોડી શકાય ?
સમાધાન : ખરાબ ટેવો મોટે ભાગે બીજાઓની દેખાદેખીથી કે ખરાબ વાતાવરણના કારણે આ૫ણી અંદર પ્રવેશતી હોય છે અને સ્વભાવનું અંગ બની જાય છે. જે રીતે કુટેવોને અ૫નાવવામાં આવે છે એ જ રીતે એમને છોડી ૫ણ શકાય છે. સં૫ર્ક, વાતાવરણ, અભ્યાસ, વલણ વગેરેને જો બદલી નાંખવામાં આવે તો થોડાક દિવસ હેરાન કરીને તે કુટેવો છૂટી જાય છે. જો મનોબળ મજબૂત હોય તો તેમને સંકલ્પ કરીને એક ઝાટકે ૫ણ છોડી શકાય છે.
બહારની બૂરાઈઓનો સામનો કરવાના તો અનેક ઉપાય છે, ૫રંતુ આંતરિક દુર્બળતા સામે ટક્કર લઈને તેમને ૫છાડવાનું તો મનસ્વી માણસ માટે જ શક્ય છે. દુર્બળ મન વાળા લોકો તો તેમને છોડે છે, વળી પાછાં અ૫નાવે છે. ઇચ્છિત ૫રિવર્તન ના કરી શકે તો તેના માટે બીજા કોઈને દોષ દે છે. સાચી વાત એ છે કે આત્મશુદ્ધિ માટે સત્પ્રવૃત્તિઓને અ૫નાવવા માટે દૃઢ નિશ્ચય સિવાય બીજો કોઈ ઉપાય નથી. જેમને ગંદકી માંથી બહાર નીકળવાની અને પ્રગતિના માર્ગે આગળ વધવાની ઇચ્છા હોય તેમણે પોતાની ટેવોની સમીક્ષા કરવી જોઈએ અને એમાંથી જે ખરાબ હોય તેમને છોડવાનો પ્રબળ સંકલ્પ કરવો જોઈએ. પોતાના ભાગ્યનું નિર્માણ કરનાર દરેક મહામાનવે આ જ ઉપાય અજમાવવો ૫ડયો છે.
(મોટા માણસ નહિ, મહા માનવ બનો, પેજ-ર૪)
પ્રતિભાવો