મારામાં અનેક દુર્ગુણો છે, બૂરાઈઓ છે એમનાથી છુટકારો કઈ રીતે મેળવી શકું ? મારા દોષોનું નિવારણ કઈ રીતે કરી શકું ? SJ-28. વ્યક્તિ નિર્માણ, સમસ્યા-૦૯
February 6, 2014 Leave a comment
સમસ્યા : મારામાં અનેક દુર્ગુણો છે, બૂરાઈઓ છે એમનાથી છુટકારો કઈ રીતે મેળવી શકું ? મારા દોષોનું નિવારણ કઈ રીતે કરી શકું ?
સમાધાન : જો તમે પોતાને કુટિલ, ધૂર્ત તથા કામી માનતા હોય, મારામાં અનેક દોષ દુર્ગુણો છે એવું કહેતા હો તો તે અવશ્ય જોવા મળશે. જો તેમના અંકુર ફૂટયા હશે તો તે વધશે અને નહિ હોય તો પેદા થશે. તેથી જો તમે બુરાઈઓથી છુટવા માંગતા હો તો તેમને ભૂલી જવાનો પ્રયત્ન કરો. પાછલી ભૂલો માટે વારંવાર દુઃખી થવું તથા તેમને યાદ કર્યા કરવી વ્યર્થ છે. એનાથી લાભ થવાને બદલે નુકસાન વધારે થશે.
પોતાના દોષો તરફ ધ્યાન જ ના આ૫વું અને તેમને વધવા દેવા એવું હું નથી કહેતો. મારા કહેવાનો અર્થ એટલો જ છે કે બૂરાઈઓને ભૂલી જઈને સારીવૃત્તિઓ તથા પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપો. તમારામાં જો દોષો હોય, ખરાબ ભાવ હોય તેમનું બારીક નિરીક્ષણ કરો અને એક કડક ૫રીક્ષકની જેમ તીક્ષ્ણ દૃષ્ટિથી તેમને શોધતાં રહો. પોતાનામાં જે ભૂલો દેખાય તેમનાથી વિરોધી સદૃગુણોનો વિકાસ કરવા માંડો. આ જ એ દોષોને દૂર કરવાની સાચી રીતે છે. ધારો કે તમને ખૂબ ગુસ્સો આવે છે, તો તેની ચિંતા છોડીને પ્રસન્ન રહેવાની તથા મીઠું બોલવાની ટેવ પાડો. એનાથી ક્રોધ આપોઆ૫ જ દૂર થઈ જશે. જો તમે ક્રોધ વિશે જ વિચારો કરતા રહેશો તો શાંત રહેવાનો તથા વિનયશીલ બનવાનો અભ્યાસ થઈ શકશે નહિ. જો તમને કોઈ આદેશ આપે કે ભજન કરતી વખતે વાંદરાની વિચાર મનમાં ના આવવા દેશો, તો વાંદરાના વિચારો આવ્યા વગર નહિ રહે. બીજા દિવસોમાં વાંદરાના વિચાર કદાપિ આવતા નથી, ૫રંતુ જો તેનો નિષેધ કરવામાં આવે તો અવશ્ય આવશે. આવું જ બૂરાઈઓની બાબતમાં છે. જો તેમનો નિધેષ કરવામાં આવે તો તે અવશ્ય વધશે. બૂરાઈનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. ભુલાઈના અભાવને જ બૂરાઈ કહી શકાય. જો તમારી પ્રવૃત્તિ ભલાઈ તથા પુણ્ય તરફ વળી જશે, તો બૂરાઈઓ આપોઆ૫ ઘટવા માંડશે અને એક દિવસ તે સમૂળગી નાશ પામે. (આંતરિક ઉલ્લાસની વિકાસ, પેજ-૩૮,૩૯)
પ્રતિભાવો