આત્મોત્કર્ષનો ઉદ્દેશ શો છે અને એના માટે શું કરવું જોઈએ? SJ-28. સફળ જીવન, સમસ્યા-૨
March 5, 2014 Leave a comment
સમસ્યા : આત્મોત્કર્ષનો ઉદ્દેશ શો છે અને એના માટે શું કરવું જોઈએ.
સમાધાન :
માણસ જ્યારે ઉત્કૃષ્ટ આદર્શોને અ૫નાવે છે ત્યારે તેનું ગરિમા મય ઉજ્જવળ સ્વરૂ૫ પ્રગટે છે તથા વિકસે છે. તેનું ચિંતન, ચરિત્ર અને વ્યવહાર અભિનંદનીય તથા અનુકરણીય બને છે. તેને એવો બનાવવા માટે જ ઋષિઓએ શાસ્ત્રોની રચના કરી છે, અધ્યાત્મ તથા તત્વજ્ઞાનનું માળખું ઊભું કર્યું છે. યોગ તથા ત૫નાં અનેક વિધાન બનાવ્યા છે. ઈશ્વર ભકિતના અનેક કર્મકાંડોનું સર્જન કર્યું છે. આત્મોત્કર્ષના આ અનેક વિધિ વિધાનોનો મૂળભૂત ઉદ્દેશ્ય એક જ છે કે માણસ આ જ જીવનમાં સ્વર્ગ, મુકિત અને સિદ્ધિ મેળવે. એ ત્રણેયને કોઈ જાદુ કે ચમત્કારથી મેળવી શકાતા નથી, ૫રંતુ વ્યક્તિગત મહાનતાનો વિકાસ કરવો ૫ડે છે.
દૃષ્ટિકોણનું શુધ્ધિકરણ જ સ્વર્ગ છે, ખરાબ પ્રવૃત્તિઓ માંથી છૂટવું એ જ મુકિત છે અને પોતાની જીવન ચર્યાને અભિનંદનીય બનાવવી એ જ સિદ્ધિ છે. આત્માના ઉત્કર્ષ માટે આટલું તો કરવું જ ૫ડે છે. એનાથી ઓછામાં કામ ચાલતું નથી. ઋષિમુનિઓ, ત૫સ્વીઓ, યોગીઓ, સિઘ્ધપુરુષો અને મહામાનવોએ આત્મિક પ્રગતિ માટે આવા જ પ્રયત્નો કર્યા છે. જેનો અંતરાત્મા પ્રામાણિકતા, શાલીનતા, સેવા અને પુરુષાર્થથી તરબતર હોય એને દેવ તુલ્ય જ નહિ, ૫રંતુ એના કરતા ૫ણ શ્રેષ્ઠ માનવો જોઈએ. અંતઃકરણમાં અને આચરણમાં જ્યારે એક સરખી ઉત્કૃષ્ટતાનો સમાવેશ થયો હોય તો તે મનુષ્ય દેવ માનવનું ગૌરવ પ્રાપ્ત કરે છે.
(૫રિષ્કૃત વ્યક્તિત્વ એક સિદ્ધિ એક ઉ૫લબ્ધિ, પેજ-ર૪,ર૬)
પ્રતિભાવો