બીજાઓ જ્યારે પ્રશંસા કરે છે ત્યારે સારું લાગે છે અને નિંદા કરે છે ત્યારે ખરાબ લાગે છે. આવું શાથી થાય છે ? શું તે યોગ્ય છે ? SJ-28. વ્યક્તિ નિર્માણ, સમસ્યા-૧૬

સમસ્યા : બીજાઓ જ્યારે પ્રશંસા કરે છે ત્યારે સારું લાગે છે અને નિંદા કરે છે ત્યારે ખરાબ લાગે છે. આવું શાથી થાય છે ? શું તે યોગ્ય છે ?

સમાધાન : મનુષ્યને પોતાના મૂલ્યની ખબર હોતી નથી, પોતાના વિશે કોઈ ધારણા હોતી નથી અને હોય તો તેની કોઈ કિંમત હોતી નથી. તેથી તે બીજાઓનો અભિપ્રાય પૂછે છે અને તેને સાચો માનીને ખુશ કે દુઃખી થાય છે. આ૫ણે બીજાઓના મોઢે આ૫ણી પ્રશંસા સાંભળવા ઉત્સુક ના રહેવું જોઈએ અને કોઈ નિંદા કરે તો દુઃખી ના થવું જોઈએ. આ૫ણા વિશે આ૫ણે જેટલું જાણીએ એટલું બીજું કોઈ જાણી શકતું નથી.

સો મૂર્ખાઓની નિંદા કરતા એક સમજદાર માણસની પ્રશંસાને મહત્વ આ૫વું જોઈએ કારણ કે તે વાસ્તવિકતાને સમજીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા ૫હેલા ન્યાય અને સચ્ચાઈને ધ્યાનમાં લે છે. વાસ્તવિકતાને સમજવાની તીક્ષ્ણ બુદ્ધિ હોય એવા લોકો બહુ ઓછા હોય છે. વળી સાચી વાત કહેવાનું સાહસ બહુ ઓછા લોકોમાં હોય છે. વિરોધ થશે એવી બીકે લોકો સાચી વાત કહેતા ડરે છે.

આ હકીકતને સમજીને બીજા લોકોની નિંદા કે વખાણથી દૂર રહેવું જોઈએ અને આ૫ણે પોતે કેવા છીએ તે તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ૫ણે પોતાને જાણી તથા સમજીને પોતાને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to બીજાઓ જ્યારે પ્રશંસા કરે છે ત્યારે સારું લાગે છે અને નિંદા કરે છે ત્યારે ખરાબ લાગે છે. આવું શાથી થાય છે ? શું તે યોગ્ય છે ? SJ-28. વ્યક્તિ નિર્માણ, સમસ્યા-૧૬

  1. મારી જીંદગી ની ચેતના says:

    aapn Ne Potane Jan Hovi Joye. . prasansa ane Ninda Ketli Sachi 6e. .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: