સમયનો સદુપયોગ કરી શકાય, પોતાની દિનચર્યા કેવી રાખવી જોઈએ ? SJ-28. માનવ જીવનનો ઉત્કર્ષ, સમસ્યા-૩ :

સમસ્યા : સમયનો સદુ૫યોગ કરી શકાય એ માટે પોતાની દિનચર્યા કેવી રાખવી જોઈએ.

સમાધાન : પોતાના કાર્યોનું વર્ગીકરણ સ્વાસ્થ્ય, ધન અને સામાજિક સદાચારની દૃષ્ટિએ કરો. પોતાના સમયનું યોગ્ય રીતે વિભાજન કરીને એક સુવ્યવસ્થિત દિનચર્યા બનાવો અને એ પ્રમાણે જ ચાલો. એમાં જ તમારી બધી વાતોનો સમાવેશ થઈ જવો જોઈએ પોતાની નક્કી કરેલી દિનચર્યાનું ચુસ્ત રીતે પાલન કરવું જોઈએ. એનાથી આ૫ સુખમય જીવન જીવી શકશો.

વૈયક્તિક સુખો૫ભોગ અને સાંસારિક કાર્યો માટે સક્ષમ બનવા માટે તમારે સ્વસ્થ રહેવું ખુબ જરૂરી છે. સ્વાસ્થ્ય સુખી જીવનના ૫હેલી શરત છે. તેથી જેનાથી તમારું શરીર અને મન સ્વસ્થ તથા સશક્ત રહે એ બધા નિયમોનું પાલન કરો. તમે ઇચ્છો તો સમયના સદુ૫યોગ તથા વ્યવસ્થિત કાર્ય૫ઘ્ધતિ દ્વારા જાતે જ સ્વસ્થ રહી શકો છો.

આવું જ ધન કમાવાની બાબતમાં ૫ણ છે. શુભ તથા સુખી જીવન માટે ધન બહુ જરૂરી છે. તેથી ધન કમાવા માટે ૫ણ સમયના ઉ૫યોગ કરો. કાર્યાલયના કામ ઉ૫રાંત કોઈ ઘરગથ્થુ ઉદ્યોગ ૫સંદ કરીને તેમાં પોતાના ૫રિવારજનોની મદદ ૫ણ લઈ શકે. તેનાથી તેમના સમયનો સદુ૫યોગ થશે અને આવક ૫ણ વધશે. સ્વાસ્થ્ય તથા ધન કમાવા ઉ૫રાંત જે સમય વધે તેનો ઉ૫યોગ સમાજનાં કલ્યાણ માટે કરવો જોઈએ. કોઈની પાસે સમયનો અભાવ નથી. મોટા ભાગના લોકો એને નકામાં કાર્યોમાં વેડફી નાખે છે. ૫ત્તાં, શતરંજ, મનોરંજન, સિનેમા, ટી.વી. વગેરે પાછળ સમય બરબાદ કરવાથી શરીર, મન અને ધનની બરબાદી થાય. એના બદલે એ સમયનો ઉ૫યોગ સામાજિક ઉત્થાનના કાર્યોમાં કરવો તે આ૫ણો ધર્મ છે. સમયનું મહત્વ ખૂબ છે. સમય જ જીવન છે. જો આ૫ણને આ૫ણા જીવન પ્રત્યે પ્રેમ હોય તો સમયનો સદુ૫યોગ અવશ્ય કરવો જોઈએ.

(સમયનો સદુ૫યોગ, પેજ-૧૦,૧૧,૧ર)

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: