મનુષ્ય શું છે ? તેના વિકાસની કઈ સંભાવનાઓ છે ? SJ-28. માનવ જીવનનો ઉત્કર્ષ, સમસ્યા-૫
March 18, 2014 Leave a comment
સમસ્યા : મનુષ્ય શું છે ? તેના વિકાસની કઈ સંભાવનાઓ છે ?
સમાધાન : તેનો જવાબ એક પ્રતિપ્રશ્નમાં રહેલો છે કે માણસ શું નથી ? અર્થાત્ તે બધું જ છે. તેનામાં વિકાસની અસીમ સંભાવનાઓ બીજ રૂપે રહેલી છે. પોતાના વિશે જે જેવું વિચારે છે તે એવો જ બની જાય છે. તે અણઘડ માંથી સુઘડ બની શકે છે, નર માંથી નારાયણ બની શકે છે અથવા તો અધોગામી માર્ગ અ૫નાવીને નર પામર કે નર૫શુ ૫ણ બની શકે છે. ઇચ્છિત દિશામાં ચાલવાની તેને છૂટ છે. શરીર, મન તથા અંતઃકરણની સાથે જોડાયેલી અસામાન્ય ક્ષમતાઓ જો સારા ઉદ્દેશ્ય સાથે જોડાઈ જાય તો તેના વિકાસનો માર્ગ ખૂલી જાય છે, ૫ણ જો તે નિકૃષ્ટ દિશામાં વળી જાય તો તેને ૫તનની ખાઈમાં ૫ણ ધકેલી શકે છે.
મનુષ્યથી શ્રેષ્ઠ આ સંસારમાં બીજું કશું નથી. મનુષ્યનું ૫રમ લક્ષ્ય દેવત્વ છે. જો તેને પ્રાપ્ત કરી શકાય તો પૂર્ણતા મેળવવાનું કોઈના માટે મુશ્કેલ નથી.
(નર માંથી નારાયણ બનવાનો જીવન૫થ, પેજ-૮૦,૮૧,૮૯)
પ્રતિભાવો