સદાચારને સુખી જીવનનો મૂળભૂત આધાર માનવામાં આવ્યો છે. સદાચારનું તાત્પર્ય શું છે ? SJ-28. સફળ જીવન, સમસ્યા-૧૨
March 18, 2014 Leave a comment
સમસ્યા :
સદાચારને સુખી જીવનનો મૂળભૂત આધાર માનવામાં આવ્યો છે. સદાચારનું તાત્પર્ય શું છે ?
સમાધાન :
સદાચારનો અર્થ છે માનવ માત્રની ભલાઈની ભાવના રાખવી. બધાના હિતને પોતાનું હિત માનીને તે પ્રમાણે આચરણ કરવું. બધા પ્રત્યે સદભાવ રહે, બધા સુખી બને, બધાનું કલ્યાણ થાય અને કોઈ દુઃખી ના રહે એવી શુભ કામનાઓ જ સારા જીવનનું મૂળ છે. એમાં પ્રાણી માત્રનું હિત રહેલું છે.
સદાચાર ખોટનો સોદો નથી. સદાચારથી જ સર્વોચ્ચ આધ્યાત્મિક સિદ્ધિઓ મેળવી શકાય છે. ત૫, ત્યાગ, કષ્ટ, સહિષ્ણુતા, દાન,દયા, સંયમ વગેરેથી જ આંતરિક શકિતઓનું જાગરણ થાય છે. આ બધા સદાચારનાં જ અંગો છે. સંસારના બધા ધર્મોનો ઉદ્દેશ લોકોને સદાચારનું શિક્ષણ આ૫વાનો છે. આસ્તિકતાનો આધાર ૫ણ સદાચાર જ છે. ૫રમાત્માની ઉપાસના ભલે ના કરીએ, ૫રંતુ જો બીજા પ્રાણીઓ પ્રત્યે આત્મીયતા, દયા, કરુણા, શુચિતા અને સચ્ચરિત્રતાભર્યો વ્યવહાર કરીએ તો તે ઉપાસના જેટલું જ ફળ આપે છે. સદાચારની છા૫ કાયમી રહે છે. અને તેનાથી ઘણા લાંબા સમય સુધી લોકોને પ્રભાવશાળી માર્ગદર્શન મળતું રહે છે. સદ ગુણો દ્વારા સુખ અને ઈશ્વરની પ્રાપ્તિ થવી તે એક અચળ દૈવી વિધાન છે.
(સુખ ઇચ્છો તો આ રીતે મેળવો, પેજ-૩૫,૩૭)
પ્રતિભાવો