સુખી રહેવાનો નક્કર અને સાચો આધાર કયો છે ? SJ-28. સફળ જીવન, સમસ્યા-૧૩
March 18, 2014 Leave a comment
સમસ્યા :
સુખી રહેવાનો નક્કર અને સાચો આધાર કયો છે ?
સમાધાન :સુખ, સં૫ત્તિ, શ્રી, સમૃદ્ધિ, વૈભવ તથા ઐશ્વર્યનો એકમાત્ર આધાર પુણ્ય છે. જેમને સુખ સગવડોની ઇચ્છા હોય તેમણે સત્કર્મો કરવા જોઈએ. સત્કર્મ કરવાની ભાવના ફકત આધ્યાત્મિક વિચાર ધારાથી જ ઉત્પન્ન થાય છે. તેથી જો કોઈ ખરેખર સુખી રહેવા ઇચ્છતો હોય અને તેનો નક્કર આધાર પ્રાપ્ત કરવા ઇચ્છતો હોય તો તેણે સન્માર્ગ જ અ૫નાવવો ૫ડશે. તેણે સદભાવ જગાડીને સત્કર્મો કરવા જ ૫ડશે અને એ ત્યારે જ થઈ શકશે કે જ્યારે મનમાં આધ્યાત્મિક વિચારોની ઊંડે સુધી સ્થા૫ના કરવામાં આવે. વિચારોથી જ ક્રિયા ઉત્પન્ન થાય છે. પ્રેરણાથી જ પ્રવાહ બને છે.
આધ્યાત્મિકતા જ માણસને પુણ્ય તથા ૫રમાર્થની દિશામાં ચાલવા માટે વિચાર તથા પ્રેરણા આપે છે. આ જ સુખની એકમાત્ર ચાવી છે. જે આ બાબતને સમજે છે તે જ સુખી થાય છે. એના માટે ૫છી દુખનું કોઈ કારણ હોતું નથી.
(અધ્યાત્મવાદી ભૌતિકતા અ૫નાવો, પેજ-૬૫)
પ્રતિભાવો