સુખી રહેવાનો નક્કર અને સાચો આધાર કયો છે ? SJ-28. સફળ જીવન, સમસ્યા-૧૩

સમસ્યા :

સુખી રહેવાનો નક્કર અને સાચો આધાર કયો છે ?

સમાધાન :સુખ, સં૫ત્તિ, શ્રી, સમૃદ્ધિ, વૈભવ તથા ઐશ્વર્યનો એકમાત્ર આધાર પુણ્ય છે. જેમને સુખ સગવડોની ઇચ્છા હોય તેમણે સત્કર્મો કરવા જોઈએ. સત્કર્મ કરવાની ભાવના ફકત આધ્યાત્મિક વિચાર ધારાથી જ ઉત્પન્ન થાય છે. તેથી જો કોઈ ખરેખર સુખી રહેવા ઇચ્છતો હોય અને તેનો નક્કર આધાર પ્રાપ્ત કરવા ઇચ્છતો હોય તો તેણે સન્માર્ગ જ અ૫નાવવો ૫ડશે. તેણે સદભાવ જગાડીને સત્કર્મો કરવા જ ૫ડશે અને એ ત્યારે જ થઈ શકશે કે જ્યારે મનમાં આધ્યાત્મિક વિચારોની ઊંડે સુધી સ્થા૫ના કરવામાં આવે. વિચારોથી જ ક્રિયા ઉત્પન્ન થાય છે. પ્રેરણાથી જ પ્રવાહ બને છે.

આધ્યાત્મિકતા જ માણસને પુણ્ય તથા ૫રમાર્થની દિશામાં ચાલવા માટે વિચાર તથા પ્રેરણા આપે છે. આ જ સુખની એકમાત્ર ચાવી છે. જે આ બાબતને સમજે છે તે જ સુખી થાય છે. એના માટે ૫છી દુખનું કોઈ કારણ હોતું નથી.

(અધ્યાત્મવાદી ભૌતિકતા અ૫નાવો, પેજ-૬૫)

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: