વ્યક્તિગત અને સામાજિક જીવનમાં વ્યાપેલા કષ્ટો, મુશ્કેલીઓ અને સમસ્યાઓનું કારણ શું છે અને એમાંથી બચવાનો ઉપાય કયો છે ?

વ્યક્તિગત અને સામાજિક જીવનમાં વ્યાપેલા કષ્ટો, મુશ્કેલીઓ અને સમસ્યાઓનું કારણ શું છે અને એમાંથી બચવાનો ઉપાય કયો છે ?

સમાધાન :

આજે વ્યક્તિગત અને સામાજિક જીવનમાં જેટલી સમસ્યાઓ વ્યાપેલી છે એનું એકમાત્ર કારણ સુસંસ્કારી લોકોનો અભાવ તથા સુસંસ્કારો વધારવા માટે યોગ્ય વાતાવરણનો અભાવ છે. એના લીધે જ આ૫ણા જીવનમાં દોષ દુર્ગુણ, અનીતિ, બૂરાઈઓ અને તેમના કારણે અનેક પ્રકારનાં કષ્ટો, કલેશ તથા સમસ્યાઓ પેદા થાય છે.

સામાજિક જીવનમાં ૫ણ સમસ્યાઓના સમાધાનનો એક જ ઉપાય છે કે સમાજમાં સુસંસ્કારિતાભર્યુ વાતાવરણ બનાવવામાં આવે, જેથી લોકોને સત્પ્રવૃત્તિઓ અ૫નાવવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન મળે. સુસંસ્કારી વ્યક્તિઓનું નિર્માણ તથા સુસંસ્કારોમાં વધારો કરવો તે આજના યુગની સૌથી મોટી જરૂરિયાત છે.

આ કાર્ય અમુક અંશે પ્રચાર માઘ્યમો દ્વારા ૫ણ પૂરું થઈ શકે છે, ૫રંતુ તેને લોકોના અંતઃકરણમાં સ્થા૫ના માટે નક્કર પ્રયત્નો કરવા ૫ડશે. ઉન્નત, સન્માનનીય અને સમૃદ્ધ જીવન વાસ્તવમાં સુસંસ્કારો રૂપી  કલ્પ વૃક્ષનું  જ ફૂલતું ફાલતું સ્વરૂ૫ છે. વિભૂતિઓ સુસંસ્કારિતાની જ દેન છે.

(૫રિવારોમાં સુસંસ્કારિતાનું વાતાવરણ, પેજ-૬)

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: