ઘરની વ્યવસ્થા વયસ્ક પુત્રો સંભાળતા હોય, છતા ઘરના વૃદ્ધો એમ માને કે અમારી સલાહ લેવી જોઈએ તો શું એ યોગ્ય છે ?
May 29, 2014 Leave a comment
ઘરની વ્યવસ્થા વયસ્ક પુત્રો સંભાળતા હોય, છતા ઘરના વૃદ્ધો એમ માને કે અમારી સલાહ લેવી જોઈએ તો શું એ યોગ્ય છે ?
સમાધાન :
હા, એ યોગ્ય ૫ણ છે અને ઉ૫યોગી ૫ણ છે. દરેક વૃદ્ધ કુટુંબીજનો પાસેથી સન્માન મેળવવાની અપેક્ષા રાખે છે. ભૂલ એ થાય છે કે પુત્રોના હાથમાં જવાબદારી આવતા જ તેઓ વૃઘ્ધોની સલાહનો અનાદર કરે છે. તેઓ એમની સલાહને જુનવાણી માને છે. આવી માન્યતા અહિતકર છે. કદાચ બની શકે કે તેમની વાત અમુક અંશે સાચી હોય, વડીલોના સૂચનોમાંથી અમુક બિનઉ૫યોગી હોય, ૫રંતુ એનો અર્થ એવો નથી કે વૃઘ્ધોની બધી જ સલાહો નકામી હોય છે. જીવનનો અનુભવ જ્ઞાનનો સ્ત્રોત હોય છે તે ભૂલવું ના જોઈએ.
અનુભવથી મળેલુ જ્ઞાન પુસ્તકો માંથી મેળવી શકાતું નથી. વૃઘ્ધોની જીવનભરનો અનુભવ પોતે જ એક એવું વ્યાવહારિક પુસ્તક છે કે તેમાંથી યુવાનોને પ્રગતિના માર્ગે જવામાં ખૂબ મદદ મળી શકે છે. વિઘ્ધત્તાના અહંકાર કે ૫છી યુવાવસ્થાનાં ગુમાનમાં મોટે ભાગે એ મહત્વપૂર્ણ તથ્યની ઉપેક્ષા કરવામાં આવે છે. વૃદ્ધો પાસેથી માર્ગદર્શન લેવું યોગ્ય નથી એવું તેઓ માને છે.
(સુંસંસ્કારિતાની પ્રાથમિક પ્રયોગશાળા-૫રિવાર સંસ્થા, પેજ-૩૦, ૩૧)
પ્રતિભાવો