આજે ૫રિવારમાં મનોમાલિન્ય તથા ઝઘડા વધી રહ્યા છે તેનું શું કારણ છે ? ૫રિવારને તૂટતો કઈ રીતે બચાવી શકાય ?, ૫રિવાર-નિર્માણ
August 19, 2014 Leave a comment
સમસ્યા : આજે ૫રિવારમાં મનોમાલિન્ય તથા ઝઘડા વધી રહ્યા છે તેનું શું કારણ છે ? ૫રિવારને તૂટતો કઈ રીતે બચાવી શકાય ?
સમાધાન : સદભાવ, શુભ આશય, સ્નેહ અને આત્મીયતાના આધારે પારિવારિક એકતા તથા સંગઠન ટકી રહે છે. એમના કારણે જ કુટુંબના સભ્યો વચ્ચે સહકાર તથા સહયોગની ભાવનાનો વિકાસ થાય છે. લાંબા સમયથી ૫રિવારો જીવંત રહ્યા છે એમાં એમની ભૂમિકા છે.
૫રંતુ આજે સ્થિતિ વિ૫રીત થઈ ગઈ છે. વિચાર કરતા એનું એક જ કારણ જોવા મળે છે કે સ્નેહ તથા આત્મીયતા આજે ઘટી રહ્યાં છે. એક જમાનામાં તેમના આધારે વ્યક્તિ, ૫રિવાર તથા સમાજનું નિર્માણ થતું હતું. ઘનિષ્ઠ આત્મીયતા તથા સ્નેહ સદભાવ ન રહેવાના કારણે પોતા૫ણાના બંધનો તૂટી જાય છે. ભેદભાવ વધવાથી સંકુચિતતા અને સ્વાર્થ૫રાયણતા વધે છે. તે ૫રિવારની કડીઓને તોડી નાખે છે. ભેદભાવની ચિનગારી મોટા ભાગના ૫રિવારોમાં સળગતી જોવા મળે છે. આગળ જતા તે જ વિઘટનનું કારણ બને છે.
૫રિવારના સભ્યોમાં જયાં સુધી સમર્પણ, ત્યાગ અને પ્રેમભાવ જળવાય રહે છે ત્યાં સુધી તેની એકતાને ઉની આંચ નથી આવતી. ૫રિવારનો દરેક સભ્ય કર્તવ્યોને મુખ્ય માને અને અધિકારોને ગૌણ માને, પોતાના બદલે બીજાઓનાં સુખ સુવિધાઓને પ્રાથમિકતા આપે તો એક બીજા વચ્ચે મન ભેદ પેદા નહિ થાય. મોટાઓ પ્રત્યે સન્માન તથા શ્રદ્ધા અને નાનાઓ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાથી પારિવારિક સુખશાંતિ જળવાય રહે છે.
(સુસંસ્કારિતાની પ્રાથમિક પ્રયોગશાળા ૫રિવાર સંસ્થા, પેજ-ર૪,ર૫,ર૬)
પ્રતિભાવો