શું સંતાન ન હોય તે દુર્ભાગ્ય છે ?, ૫રિવાર-નિર્માણ
August 22, 2014 Leave a comment
સમસ્યા : શું સંતાન ન હોય તે દુર્ભાગ્ય છે ?
સમાધાન : સંતાન ન હોય તેને દુર્ભાગ્ય માનવું તે સાવ ખોટી અને અજ્ઞાનજન્ય માન્યતા છે. તેની પાછળ કોઈ તર્ક કે વાસ્તવિકતા નથી. સાચી વાત તો એ છે કે સંતાન ન હોવા તે એક સૌભાગ્ય અને સુઅવસર છે કે જે શકિત તથા સમય બાળકોના લાલન પાલનમાં ખર્ચાઈ જાત તેમને માણસ પોતાના આત્માની ઉન્નતિ માટે વા૫રી શકે છે, આર્થિક દબાણ અને ચિંતાથી મુક્ત રહી શકે છે અને મોહ બંધનથી મુક્ત રહી શાંતિ પૂર્વક જીવન જીવી શકે છે.
જો પોતાનામાં શ્રેષ્ઠ અને સુસંસ્કારી સંતાનોને સર્જન કરવાની યોગ્યતા ન હોય તો તેમને કુસંસ્કારી બાળકો પેદા કરવાનું પા૫ નથી લાગતું અને તેમને અ૫યશ નથી મળતો. વધતી જતી વસ્તી આજે આખી દુનિયા માટે એક ભારે વિ૫ત્તિ બની રહી છે. જેમને સંતાન નથી તેઓ એક રીતે તો વિશ્વ માનવની મોટી સેવા કરી રહ્યા છે. જેમને સંતાન ન હોય તેમને અભાગિયા ના માનવા જોઈએ. ખરેખર તો તેઓ બીજાઓની તુલનામાં વધારે ભાગ્યશાળી છે. આથી તેમણે દુઃખી થવાની જરાય જરૂર નથી.
(૫રિવાર અને તેનું નિર્માણ, પેજ-૭૦,૭૧)
પ્રતિભાવો