૫રિવારમાં બાળકો સાથે વ્યવહાર કરતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ ?
August 23, 2014 Leave a comment
સમસ્યા : ૫રિવારમાં બાળકો સાથે વ્યવહાર કરતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ ?
સમાધાન : બાળકો સાથે વ્યવહાર કરતી વખતે એક આંખ પ્યારની અને બીજી સુધારની રાખવી જોઈએ. એનાથી એમનો ઉત્સાહ જળવાય રહે છે અને સુધારણાને ક્રમ ચાલતો રહે છે. જો તેમને માત્ર પ્રેમ જ કરવામાં આવે, તેમની સારી કે ખોટી દરેક ઇચ્છાને પૂરી કરવામાં આવે તો બાળકો ચોક્કસ બગડી જશે અને દરેક વાતમાં જીદ કરશે, જેને પૂરી કરવા માટે તમારે ન્યાય, નીતિ તથા ઔચિત્યને તિલાંજલિ આ૫વી ૫ડશે. બાળકોનું સારી રીતે પાલન કરવા માટે મોહવશ થઈને એમની ખોટી જીદને પૂરી કરવી ન જોઈએ. સંતાનને ભલે એવું લાગે કે મારા માતાપિતા મને પ્રેમ નથી કરતા, એમ છતા જેમા સંતાનનું હિત હોય એવું જ કરવું જોઈએ.
(૫રિવારને સુવ્યવસ્થિત કેવી રીતે બનાવશો, પેજ-ર૩)
પ્રતિભાવો