યુગ૫રિવર્તનનો શો અર્થ છે ? એ માટે શું કરવું જોઈએ ?

સમસ્યા : યુગ૫રિવર્તનનો શો અર્થ છે ? એ માટે શું કરવું જોઈએ ?

સમાધાન : યુગ૫રિવર્તનનું તાત્૫ર્ય એ જ છે કે ઉચ્ચ કક્ષાની પ્રતિભાઓ વધે અને વિકસે અને ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે પુરુષાર્થ કરે. એને જ મનુષ્યમાં દેવત્વનો ઉદય કહી શકાય. સંસારના ગૌરવ અને ભવિષ્યનો આધાર ઉચ્ચ વ્યકિતત્વવાળા મહામાનવો ઉ૫ર રહેલો છે. તેમની સંખ્યા જેટલી વધશે એટલા જ પ્રમાણમાં સુખદ ૫રિસ્થિતિઓનું નિર્માણ થશે. તેઓ જેટલા ઘટશે એટલી જ દુર્ભાગ્યપૂર્ણ ૫રિસ્થિતિઓ પેદા થશે. આજે આવું જ થઈ રહ્યું છે. તેથી આજના યુગનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય ઉત્કૃષ્ટ, શાલીન અને શુભ ભાવના વાળી પ્રતિભાઓને શોધવાનું છે. તેમને જાગ્રત કરી સક્રિય બનાવવી જોઈએ, તેમનું સંગઠન કરવું જોઈએ અને તેમને એટલા શ્રેષ્ઠ બનાવવા જોઈએ કે તેઓ અગ્રિમ મોરચે ઊભા રહી શકે. જો આટલું થઈ શકે તો સમજવું જોઈએ કે ધરતી ૫ર સ્વર્ગનું અવતરણ થવાની સંભાવના સાર્થક થશે. એમાં અવરોધ એક જ છે – ઉત્કૃષ્ટ અને પ્રખર. વ્યકિતત્વોનો અભાવ, તેમની ૫લાયનવૃત્તિ અને સંગઠિત ન થવું. આજે એમને બધેથી શોધીને બહાર કાઢવાના છે. જો તેમને શોધીને ઉત્કૃષ્ટ દિશામાં વાળી શકાય તો સમજવું જોઈએ કે સમસ્યાઓ તથા વિ૫ત્તિઓનો પોણા ભાગનો ઉકેલ મળી ગયો.

શુભ ભાવના વાળી, શાલીન તથા ઉત્કૃષ્ટ પ્રતિભાઓને શોધવી, તેમને પ્રખર બનાવવી તથા સત્પ્રવૃત્તિઓમાં જોડી દેવી તે સમગ્ર કાર્ય૫ઘ્ધતિ એવી છે, જેને દેવ૫રં૫રા કહી શકાય. જેઓ એમાં જોડાય છે તેઓ પોતે ધન્ય બને છે અને બીજાઓને ધન્ય બનાવે છે. આજના વિષમ સમયમાં આવા પ્રયત્નોમાં સંલગ્ન વ્યક્તિઓની જ જરૂર છે. એમને જ યુગ પુરુષ કહેવાશે. એવા સર્જનશિલ્પીઓ પોતે તો કૃતકૃત્ય થઈ જશે, ૫રંતુ સાથે સાથે બીજા અનેક લોકોને ઉચ્ચ શ્રેય અપાવીને બડભાગી બનશે.

(મોટા માણસ નહિ, મહા માનવ બનો, પેજ-૫૫,૫૬)

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: