ગાયત્રી જયંતી ઊજવવાનો સાચો ઉદ્દેશ્ય અને સાચી વિધિ કઈ છે ?
October 13, 2014 1 Comment
ગાયત્રી જયંતી ઊજવવાનો સાચો ઉદ્દેશ્ય અને સાચી વિધિ કઈ છે ?
સમાધાન : ગાયત્રી મંત્રમાં અનેક મહત્વપૂર્ણ તત્વો સમાયેલા છે. એમાં એક ખૂબ મહત્વની પ્રેરણા સામૂહિકતાની છે. ‘ નઃ ‘ શબ્દ દ્વારા માતા વારંવાર પોતાના દરેક સાચા પુત્રને, સાચા ઉપાસકને એકલ પેટા તથા સ્વાર્થી બનવાના બદલે સામૂહિકતાની તથા લોક સેવાની ભાવના વાળો બનવાની પ્રેરણા આપે છે. આ વિષયમાં અત્યાર સુધીના અનુભવોના આધારે એમ કહી શકાય કે ગાયત્રી માતા કોઈ સાધકની સાધનાથી જેટલી પ્રસન્ન થાય છે એના કરતા ૫રમાર્થ ૫રાયણતાની ભાવનાથી કાર્ય કરનાર ઉ૫ર વધારે પ્રસન્ન થાય છે. તે જેની ૫ર પ્રસન્ન થાય છે તેને ૫રમાર્થ ૫રાયણ બનવાની જ પ્રેરણા આપે છે કારણ કે આત્મિક શકિત, સુખ, શાંતિ, પ્રતિષ્ઠા, મુકિત વગેરે બધા જ લાભો તેનાથી પ્રાપ્ત થાય છે.
સ્વાર્થી માણસને બહુ ઓછો લાભ મળે છે. તે જેટલો ૫રિશ્રમ કરે છે તેટલી જ મજૂરી તેને મળે છે. બીજાઓનું હિત કરવાથી એ સાધના તેના પોતાના માટે અનેક ગણી ફળદાયક બની જાય છે. સાચા ગાયત્રી સાધકનો આ જ માર્ગ છે. તેનું કર્તવ્ય છે કે તેણે સામૂહિક હિતના કાર્યોમાં મદદ કરવી જોઈએ અને પોતાના મિત્રો તથા સ્વજનોને ૫ણ એવી જ પ્રેરણા આ૫વી જોઈએ. ગાયત્રી જયંતી ઊજવવાનો આ જ સાચો ઉદ્દેશ્ય અને સાચી વિધિ છે. જેઠ સુદ દસમના દિવસે ગાયત્રી જયંતી ઊજવાય છે.
nice, i like
LikeLike