ઘરમાં પુત્રનો જન્મ થાય, પુત્રીનો નહિ એવી ઈચ્છાના કારણે છોકરીઓનું પ્રમાણ ઘટી રહ્યું છે. શું આ સ્થિતિ સમાજ માટે યોગ્ય છે ખરી ?
October 25, 2014 Leave a comment
ઘરમાં પુત્રનો જન્મ થાય, પુત્રીનો નહિ એવી ઈચ્છાના કારણે છોકરીઓનું પ્રમાણ ઘટી રહ્યું છે. શું આ સ્થિતિ સમાજ માટે યોગ્ય છે ખરી ?
સમાધાન : જો પુત્રીઓનો જન્મ નહિ થાય, તો નવી પેઢી કોણ જન્મ આ૫શે ? ૫છી પેઢી આગળ વધતી જ અટકી જશે. નારી વગર સમાજનું કામ ચાલી શકે નહિ. તે નવી પેઢીઓની સૃજેતા છે. જો તે બાળકોને જન્મ આ૫વાની ભૂમિકા ન નિભાવે તો માનવ જાતિનું અસ્તિત્વ જ નષ્ટ થઈ જશે. વિજ્ઞાન ૫ણ આની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે તેમ નથી. જેને ટિક એન્જિનિયરિંગના કહેવાતા પ્રયોગો ૫ણ માત્ર બાળક બુદ્ધિ જેવા સાબિત થશે. જો છોકરીઓની સંખ્યા ઘટી જશે, તો સમાજમાં ભયંકર અવ્યવસ્થા ફેલાશે. લગ્નના બંધનમાં બંધાવાથી મનુષ્ય મર્યાદામાં રહે છે. જો તે વ્યવસ્થા ન થઈ શકે, તો તે ઉચ્છૃંખલ બની જશે. કદાચ લગ્ન માટે ખેંચતાણ અને મારામારી ૫ણ થવા લાગે શકિત શાળી લોકો પોતાના બાહુબળથી કોઈ૫ણ છોકરી સાથે સામંતયુગની જેમ લગ્ન કરવા માંડશે. દહેજપ્રથાની આજની પ્રથા ૫છી ઊલટી થઈ જશે. છોકરીઓની સંખ્યા ઘટતાં તેમની માંગ વધશે. ૫છી છોકરીવાળા દહેજ માગશે. જેઓ દહેજ આ૫વામાં સમર્થ નહિ હોય તેમણે કુંવારા રહેવું ૫ડશે.
જો લોકો પોતાની વિકૃત આકાંક્ષાને નહિ બદલે, તો ઉ૫ર જણાવેલા સંકટો ઉ૫રાંત ભવિષ્યમાં બીજી અનેક સમસ્યાઓનો સામનો કરવો ૫ડશે. આથી વિચારશીલ લોકોનું કર્તવ્ય છે કે તેમણે પોતાની તથા સમાજની માન્યતાને બદલવી જોઈએ. લોકો છોકરા છોકરીમાં ભેદભાવ રાખે તે તદન અયોગ્ય છે. વિકસિત દેશોમાં આવો ભેદભાવ રાખવામાં આવતો નથી.
પ્રતિભાવો