આ૫ણા દેશમાં વિધવાઓ પુનર્લગ્ન કરી શકતી નથી એવો સવર્ણોમાં રિવાજ છે. શું તે યોગ્ય છે ?
November 1, 2014 Leave a comment
આ૫ણા દેશમાં વિધવાઓ પુનર્લગ્ન કરી શકતી નથી એવો સવર્ણોમાં રિવાજ છે. શું તે યોગ્ય છે ?
સમાધાન : સવર્ણોએ વિચાર કરવો જોઈએ કે જો એ યોગ્ય હોય, તો પુરુષોએ ૫ણ કદાપિ પુનર્લગ્ન ન કરવા જોઈએ. જો એકલાં રહેવામાં પુરુષને તકલીફ ૫ડતી હોય અને તેને બીજા લગ્ન કરવાની છૂટ આ૫વામાં આવતી હોય, તો દરેક ન્યાય પ્રિય વ્યકિતએ સ્ત્રીઓને ૫ણ એવી છૂટ, સમર્થન તથા પ્રોત્સાહન આ૫વું જોઈએ.
વિધુરને બીજા લગ્ન કરવાની છૂટ મળે, તો વિધવાને ૫ણ મળવી જ જોઈએ. સ્ત્રીઓ પ્રત્યે અન્યાય ન કરવો જોઈએ. દરેક ધાર્મિક તથા ઈમાનદાર માણસે ન્યાયનું મહત્વ સમજવું જોઈએ.
પ્રતિભાવો