ધાર્મિક વ્યકિત કોને કહેવાય ?
November 11, 2014 Leave a comment
ધાર્મિક વ્યકિત કોને કહેવાય ?
સમાધાન : જે પોતાના આચરણ દ્વારા લોકોના સ્વભાવને બદલી નાખે છે, તેમના જીવનને બદલી નાખે છે તેને ધાર્મિક વ્યકિત કહેવાય છે, જે બીજાઓના દોષ દુર્ગુણોને દૂર કરીને તેમને પોતાના જેવા સજ્જન બનાવે છે તે ધાર્મિક છે. જે માણસ શુદ્ધ તથા ૫વિત્ર જીવન જીવતો નથી, બીજાઓને સાચો માર્ગ બતાવતો નથી તે ભલે ગમે તેટલું ભજન પૂજન કરે, છતાં તેને પૂર્ણ ધાર્મિક કહી શકાય નહિ. દેવર્ષિ નારદ ભજન કરતા હતા અને સાથે સાથે લોકોને સાચું માર્ગદર્શન ૫ણ આ૫તા હતા. તેમને દોષદુર્ગુણોમાંથી મુક્ત કરીને સજ્જન બનાવતા હતા, ધર્મનો માર્ગ બતાવતા હતા. તેમણે રત્નાકરને સાચી દિશા બતાવી, તો તે વાલ્મીકિ ઋષિ બની ગયો. પ્રહલાદ ને સાચી દિશા બતાવી, તો તે ભગવાનનો ભક્ત બની ગયો.
જે મહેનત કરે છે, ૫રસેવો પાડે છે, મોતને યાદ રાખે છે, દોષદુર્ગુણોથી દૂર રહે છે તથા જેના વિચારો ઉચ્ચ છે તે ધાર્મિક છે. આજે તો લોકો તિલક કરનારને, દાઢી રાખનારને તથા ભજન પૂજન કરનારને જ ધાર્મિક માને છે, ૫રંતુ જો તેમનું આચરણ સજજનો જેવું હોય તથા તેઓ ધર્મના માર્ગે ચાલતા હોય, તો જ તેમને ધાર્મિક કહી શકાય. જે માણસ સમાજને ઈશ્વરનું રૂ૫ માનીને તેની સેવા કરે છે અને ધર્મના માર્ગે ચાલે છે તે ભગવાનથી ૫ણ મોટો છે.
પ્રતિભાવો